નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલમાં મહત્વનું નિવેદન આપ્યું છે. ગુરુવારે મહારાષ્ટ્ર પહોંચેલા નીતિન ગડકરીએ કહ્યું કે ક્રિકેટ અને રાજકારણમાં કઈ પણ શક્ય છે. મહારાષ્ટ્રના રાજકારણમાં સારી એવી પકડ ધરાવતા દિગ્ગજ નેતાએ કહ્યું કે ક્યારેક તમને એમ લાગે કે તમે મેચ હારી રહ્યાં છો પરંતુ પરિણામ તેનાથી બિલકુલ વિપરિત આવે છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે હું હમણા જ દિલ્હીથી આવ્યો છું તો મને મહારાષ્ટ્રના રાજકારણની સંપૂર્ણ જાણકારી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર: શિવસેના, કોંગ્રેસ-NCP વચ્ચે થઈ મહત્વની બેઠક, લેવાયો આ નિર્ણય


મહારાષ્ટ્ર: શિવસેના પાસેથી આ 'બલિદાન' ઈચ્છે છે કોંગ્રેસ, સરકાર બનાવવી એ નથી બચ્ચાના ખેલ


આજે જ શિવસેના, કોંગ્રેસ અને એનસીપીમાં આખરે સહમતિ બનતી જોવા મળી રહી છે. ત્રણેય પાર્ટીઓએ ગુરુવારે સરકાર માટે ન્યૂનતમ લઘુત્તમ કાર્યક્રમ પર મુંબઈમાં એક બેઠક યોજીને ચર્ચા કરી.  આ બેઠકમાં કોંગ્રેસના નેતા પૃશ્વીરાજ ચૌહાણ, એનસીપી નેતા છગન ભૂજબળ અને શિવસેના નેતા એકનાથ શિંદે શામેલ થયા. આ  બેઠકમાં કોમન મિનિમમ પ્રોગ્રામ તૈયાર કરવા માટે એક કમિટી બનાવવામાં આવી. કમિટીમાં શિવસેના, NCP અને કોંગ્રેસના 5-5 સભ્યો રાખવામાં આવ્યાં છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube