Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં હાલ રાજકીય ઘમાસાણ મચી ગયું છે. શિવસેનાથી નારાજ એકનાથ શિંદે અને તેમના સપોર્ટવાળા વિધાયકો ગુજરાતના સુરત પહોંચ્યા હતા અને હવે ત્યાંથી મધરાતે રવાના થઈ વહેલી સવારે તેઓ ગુવાહાટી પહોંચી ગયા છે. એકનાથ શિંદે તરફથી એવો દાવો થઈ રહ્યો છે કે તેમની સાથે 40 વિધાયકો છે. જેમાં 34 શિવસેનાના અને 6 અપક્ષ અને અન્ય પક્ષના વિધાયકો છે. આ તમામ વિધાયકો ખાસ વિમાનથી ગુવાહાટી પહોંચ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના સાંસદ એરપોર્ટ પર જોવા મળ્યા
એવું કહેવાય છે કે ગુવાહાટીમાં આ વિધાયકોને રિસિવ કરવા માટે તેજપુરના ભાજપના સાંસદ પલ્લબ લોચન દાસ પહોંચ્યા હતા. પલ્લબ લોચન દાસ વિધાયકો પહોંચ્યા તેની થોડીવાર પહેલા જ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. જો કે તેમણે મીડિયા સાથે વાતચીત  કરી નહીં. તેઓ એરપોર્ટના વીઆઈપી એન્ટ્રન્સથી અંદર ગયા. કહેવાય છે કે રાજ્ય સરકાર તરફથી તેઓ વિધાયકોને રિસિવ કરવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા. જો કે આ જાણકારી સૂત્રો દ્વારા મળી છે તેની હજુ કોઈ પુષ્ટિ થઈ નથી. 


Draupadi Murmu Profile: જાણો કોણ છે NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ


આ છે દુનિયાનો એવો 'અનોખો' આશ્રમ, જ્યાં પત્ની પીડિત પતિઓ ઠાલવે છે પોતાની વ્યથા


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube