Poster in support outside Sanjay Raut: મહારાષ્ટ્રમાં એકવાર ફરીથી રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહાવિકાસ આઘાડી સરકાર પર સંકટના વાદળો છવાઈ ગયા છે. આ બધા વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતના ઘરની બહાર લાગેલા પોસ્ટર પર ધ્યાન ખેંચાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંજય રાઉતના ઘરની બહાર લાગેલા પોસ્ટરમાં લખ્યું છે કે 'તારું ઘમંડ તો 4 દિવસનું છે પાગલ, અમારી બાદશાહત તો ખાનદાની છે.' આ પોસ્ટર્સ શિવસેના કોર્પોરેટર દીપમાલા બધેએ લગાવ્યા હોવાનું કહેવાય છે. 


અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને શિવસેનાના દિગ્ગજ નેતા અને હાલ બળવાખોર બની ગયેલા વિધાયક એકનાથ શિંદે ગુજરાતના સુરતથી પોતાના સમર્થક વિધાયકો સાથે ગુવાહાટી શિફ્ટ થઈ ગયા છે. શિંદે સાથે શિવસેનાના અન્ય 33 અને 6 અપક્ષ ધારાસભ્યો પણ ગુવાહાટી પહોંચ્યા હોવાનું કહેવાય છે. આ બધા વચ્ચે એકનાથ શિંદેએ એવો દાવો પણ કર્યો કે તેમની પાસે 40 ધારાસભ્યો છે. જેમાંથી શિવસેનાના 34 અને 6 અપક્ષ વિધાયકો છે. 


Maharashtra Political Crisis: એકનાથ શિંદે 40 MLA સાથે સુરતથી ગુવાહાટી પહોંચ્યા, એરપોર્ટ પર BJP સાંસદે મોરચો સંભાળ્યો


Maharashtra Political Crisis Live Updates: શિવસેનાના વધુ 2 MLA એ બળવો પોકાર્યો, એકનાથ શિંદે પાસે ગુવાહાટી જશે


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube