Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે ભારતીય જનતા પાર્ટી પર મોટો આરોપ લગાવ્યો છે. શિવસેાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે એનસીપી પ્રમુખ શરદ પવારને ધમકી આપવામાં આવી છે. જે ભાષાનો ઉપયોગ કરાયો છે તે અમને મંજૂર નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંજય રાઉતનું નિવેદન
શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ટ્વીટ કરીને કહ્યું કે ભાજપના એક કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે જો મહાવિકાસ આઘાડી સરકારને બચાવવાની કોશિશ કરવામાં આવી તો શરદ પવારને ઘરે જવા દેવામાં નહીં આવે. રાઉતે વધુમાં કહ્યું કે એમવીએ સરકાર બચશે કે નહીં, શરદ પવાર વિશે આવી ભાષાનો ઉપયોગ સ્વીકાર્ય નથી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube