Kangana Ranaut Navneet Rana Statement Viral: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ખુરશી ખતરામાં છે. શિવસેનાના વિધાયકો અને મંત્રી એકનાથ શિંદેએ બળવો પોકાર્યા બાદ સીએમ ઠાકરે મુશ્કેલીમાં છે. મહારાષ્ટ્રમાં મચેલા રાજકીય સંકટ વચ્ચે અમરાવતીથી સાંસદ નવનીત રાણા અને બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતના નિવેદન ચર્ચામાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે નવનીત રાણા હનુમાન ચાલીસા વિવાદ બાદ જેલમાં ગયા હતા અને કંગના રનૌતના ઘરને BMC ની કાર્યવાહીમાં તોડવામાં આવ્યું હતું. આખરે કેમ નવનીત રાણા અને કંગના રનૌતના નિવેદન ચર્ચામાં છે આવો જાણીએ. 


નવનીત રાણાએ ઉદ્ધવ ઠાકરેને ફેંક્યો હતો પડકાર
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર ચલાવી રહ્યા છે. તેમણે અનેકવાર વિરોધનો સામનો કરવો પડ્યો. અનેક ચહેરા અલગ અલગ મુદ્દાઓ પર તેમની સામે ઊભા થયા. ઉદ્ધવને બે મહિલાઓએ સીધો પડકાર ફેંક્યો. આ બંને મહિલાઓએ મુખ્યમંત્રી અને ઠાકરે સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. સીએમ વિરુદ્ધ નિવેદન આપ્યા અને તેનું પરિણામ પણ ભોગવવું પડ્યું. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube