મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના દૈનિક કેસમાં સોમવારે મોટો ઘટાડો થયો છે. રાજ્યમાં આજે માત્ર 37 હજાર 236 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં ઘણા દિવસ સુધી સતત 60 હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં હતા. આ સાથે રાજ્યની રાજધાની મુંબઈથી પણ કોરોના મામલે સારા સમાચાર આવ્યા છે. મુંબઈમાં બે હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જારી આંકડા અનુસાર, મહારાષ્ટ્રમાં સોમવારે કોરોના વાયરસના 37236 નવા કેસ સામે આવ્યા, ત્યારબાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 51,38,973 થઈ ગઈ છે. હજુ રાજ્યમાં 5,90,818 એક્ટિવ કેસ છે, જેની સારવાર ચાલી રહી છે. 549 લોકોના મોતની સાથે કુલ મૃત્યુઆંક વધીને 76398 થઈ ગયો છે. અત્યાર સુધી સાજા થનારા લોકોની સંખ્યા 44,69,425 છે. છેલ્લા એક દિવસમાં 61,607 લોકોએ કોરોનાને માત આપી છે.


Corona Crisis પર કોંગ્રેસ નેતા અધીર રંજનનો રાષ્ટ્રપતિને પત્ર, તત્કાલ સંસદનું વિશેષ સત્ર બોલાવાની કરી માંગ  


જાણો દેશમાં શું છે વાયરસની સ્થિતિો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 3,66,161 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,26,62,575 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,86,71,222 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે હજુ પણ 37,45,237 એક્ટિવ કેસ છે. એક દિવસમાં 3754 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 2,46,116 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 17,01,76,603 લોકોનું રસીકરણ થયું છે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube