મુંબઈ: મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે અત્યંત મહત્વના સમાચાર આવ્યા છે. એકબાજુ ઉદ્ધવ સરકાર પર સંકટના વાદળો છવાયા છે ત્યાં બીજી બાજુ સીએમ ઉદ્ધવ ઠાકરે કોરોના પોઝિટિવ થયા હોવાના અહેવાલ હતા. કોંગ્રેસના નેતા કમલનાથે આ જાણકારી મીડિયાને આપી હતી. તેમણે મીડિયા સાથે સંવાદ દરમિયાન કહ્યું કે સીએમ ઉદ્ધવ ઠાકરે કોરોના પોઝિટિવ છે અને હાલ તેઓ હોમ આઈસોલેટ છે. જો ગણતરીના કલાકોમાં એવા સમાચાર આવ્યા કે તેમનો કોરોના રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સીએમ ઉદ્ધવ ઠાકરેનો કોરોના રિપોર્ટ નેગેટિવ
મહારાષ્ટ્રમાં જબરદસ્ત રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે સવારે એવા પણ સમાચાર આવ્યા હતા કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કોરોના પોઝિટિવ છે.પણ ત્યારબાદ બપોરે એવા સમાચાર આવ્યા કે તેમનો કોરોના રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે. અત્રે જણાવવાનું કે આજે જે કેબિનેટ બેઠક યોજાઈ હતી તેમાં તેમણે વીડિયો કોન્ફરન્સિંગથી ભાગ લીધો હતો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube