મુંબઇ: શિવસેના (Shiv Sena), કોંગ્રેસ (Congress) અને એનસીપી (NCP)એ મંત્રીમંડળને લઇને રૂપરેખા નક્કી થઇ ગઇ છે. મહારાષ્ટ્રના નવા મંત્રીમંડળમાં શિવસેના અને એનસીપી કોટામાંથી 15-15 અને કોંગ્રેસના કોટામાંથી 12 મંત્રી હશે. સૂત્રોના અનુસાર એનસીપી અને શિવસેનાએ 10-10 મંત્રીઓના નામ નક્કી કરી દીધા છે. જ્યારે કોંગ્રેસના 8 મંત્રીઓના નામ નક્કી કરી દીધા છે.  

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરદ પવારે બોલાવી NCP ની બેઠક, અજિત પવારને ઉપમુખ્યમંત્રી બનાવવાની તૈયારી: સૂત્ર


એનસીપીએ અત્યાર સુધી જે મંત્રીઓના નામ ફાઇનલ કરી દીધા છે તેમાં છગન ભુજબળ, જયંત પાટિલ, નવાજ મલિક, રાજેશ ટોપે, અનિલ દેશમુખ, જિતેંદ્વ ચૌહાણ, હસન મુશ્રીફ, દિલીપ વલસે પાટીલ સામેલ છે. 


શિવસેના દ્વારા જે 10 નામો પર અત્યાર સુધી મોહર લાગી ચુકી છે તેમાં એકનાથ શિંદે, દિવાકર રાવતે, સુભાષ દેસાઇ, રામદાસ કદમ, અનિલ પરબ, સુનીલ સાવંત, અબદુલ સત્તાર, પ્રતાપ સરનાઇક, સુનીલ પ્રભુ, રવિન્દ્ર વાયકર સામેલ છે. 

શરદ પવારે અજિત પવાર રૂપી તીર વડે કર્યા 4 શિકાર! શું BJP સમજી ન શકી આ માઇન્ડ ગેમ


તો બીજી તરફ કોંગ્રેસ તરફથી જે 8 લોકોના નામ ફાઇનલ થયા છે. તેમાં બાલાસાહેબ થોરાટ, અશોક ચૌહાણ, માણિકરાવ ઠાકરે, યશોમતિ ઠાકુર, અમિત દેશમુખ, વિજય વડટેડ્ડીવાર, વર્ષા ગાયકવાડ. 

સામનામાં શિવસેનાનો તીખો હુમલો, અજિત પવારે અંતિમ ક્ષણોમાં તેમનું વસ્ત્રહરણ રોકી લીધું, પરંતુ BJP...


તમને જણાવી દઇએ કે શિવસેના (Shiv Sena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) 28 નવેમ્બર એટલે કે ગુરૂવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીપદની શપથ લેશે. શપથ ગ્રહણનું આયોજન મુંબઇના શિવાજી પાર્કમાં કરવામાં આવ્યું છે. શપથ ગ્રહણનો કાર્યક્રમ સાંજે 5:30 વાગે થશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube