શરદ પવારે અજિત પવાર રૂપી તીર વડે કર્યા 4 શિકાર! શું BJP સમજી ન શકી આ માઇન્ડ ગેમ

શિવસેના નેતાઓની બંધ રૂમમાં શરદ પવાર (Sharad Pawar) સાથે મુલાકાત થઇ. શિવસેનાએ પોતાની ચિંતા તો વ્યક્ત કરી અને સાથે જ ભાજપને સત્તાથી બહાર રાખવા માટે કુરબાની આપવાની પણ ઓફર કરી. શિવસેનાએ પોતાના દ્વારા કહ્યું કે પોતાની પાંચ વર્ષની મુખ્યમંત્રી પદની માંગ છોડવા માટે તૈયાર છે.

શરદ પવારે અજિત પવાર રૂપી તીર વડે કર્યા 4 શિકાર! શું BJP સમજી ન શકી આ માઇન્ડ ગેમ

મુંબઇ: શિવસેના નેતાઓની બંધ રૂમમાં શરદ પવાર (Sharad Pawar) સાથે મુલાકાત થઇ. શિવસેનાએ પોતાની ચિંતા તો વ્યક્ત કરી અને સાથે જ ભાજપને સત્તાથી બહાર રાખવા માટે કુરબાની આપવાની પણ ઓફર કરી. શિવસેનાએ પોતાના દ્વારા કહ્યું કે પોતાની પાંચ વર્ષની મુખ્યમંત્રી પદની માંગ છોડવા માટે તૈયાર છે. જો શરદ પવાર (Sharad Pawar) ઇચ્છે અને કોંગ્રેસને મંજૂર હોય તો તેને અજીત પવારને અઢી વર્ષ માટે મુખ્યમંત્રી બનાવવા પર કોઇ વાંધો નથી. જો પહેલાં અઢી વર્ષ મુખ્યમંત્રી, શિવસેનાનો હશે. 

શિકાર 1: શું તેના દ્વારા શરદ પવાર (Sharad Pawar)-અજિત પવાર એક તીર વડે ઘણા શિકાર કરી રહ્યા છે?
અઢી વર્ષ માટે પોતાના પરિવારના CM. ગઠબંધન વચ્ચે વાતચીત દરમિયાન જો સીધે સીધી માંગ કરતા તો કોંગ્રેસ-શિવસેના દ્વારા આનાકાની અને મોડું થતું. સાથે જ એનસીપીમાં અજિત પવારના પ્રતિદ્વંદી પણ શાંત થઇ ગયા. હવે આ બધાની સાથે-સાથે એટલા આગળ નિકળી ગયા છે કે આ મુદ્દે ગઠબંધન તોડવું શિવસેના-કોંગ્રેસ માટે મજાકને પાત્ર બનવા બરાબર હતું. હાથ મિલાવીને શિવસેના-કોંગ્રેસે પોતાની વોટ બેંકનું પહેલાં જ નુકસાન કરી લીધું છે, હવે સત્તાથી દૂર રહેવું પણ મુર્ખામીભર્યું હતું. 

શિકાર 2: રાષ્ટ્રપતિ શાસનને તાત્કાલિક દૂર કરવું
જો શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધન મળીને દાવો રજૂ કરતું ત્યારે પણ પહેલું કામ રાષ્ટ્રપતિ શાસન દૂર કરવાનું રહેતું. રાષ્ટ્રપતિ શાસન દૂર કરવું પોતાનામાં એક એવી પ્રક્રિયા છે, જેમાં ભાજપની 'ખુદકિસ્મતી'થી પ્રક્રિયાના નામ રાજ્યપાલ અને કેંદ્વ સરકાર અઠવાડિયાઓ અથવા બે મહિના સુધીનો સમય ખેંચી શકતા હતા. આ લાંબા સમયમાં ભાજપ ઘણા ધારાસભ્યોને પોતાની તરફ કરી શકતી હતી. અશક્યને શક્ય બનાવનાર રાજકીય ઇતિહાસ તાજેતરમાં જોવા મળ્યો છે આ કોઇ અસંભવ કૃત્ય નથી. ભાજપની અસ્રકાર બનતી અને એક્સપ્રેસ ગતિએ કામ થયું. એટલે રાષ્ટ્રપતિ શાસન દૂર કરવાની અડચણ આપમેળે દૂર થઇ ગઇ. 

શિકાર 3: અજિત પવાર હુમલાવર નહી નહી થઇ શકે ભાજપ-શિવસેના
ભાજપે અજિત પવાર પર ભ્રષ્ટાચારના ઘણા બધા આરોપો લગાવ્યા હતા. ભાજપ શિવસેનાની સરકારમાં તેમના વિરૂદ્ધ કેસ દાખલ થયા હતા. પરંતુ ભાજપ અજિત પવારની સાથે હાથ મિલાવતાં અને ઉપમુખ્યમંત્રી બનાવ્યા બાદ, હવે આગળ ભાજપને અજિત પવારને ભ્રષ્ટાચારી કહીને હુમલો કરવાનો નૈતિક અધિકાર ગુમાવી દીધો છે. આવી જ સ્થિતિ શિવસેના સાથે થશે જે ક્યારેય અજિત પવારને ભ્રષ્ટાચારી કહી નહી શકે. તેના માટે હવે અજિત પવાર સ્વિકાર યોગ્ય થઇ ગયા. 

શિકાર 4: એનસીપીમાં વધ્યું અજિત પવારનો પ્રભાવ
અજિત પવાર આ માસ્ટર સ્ટ્રોક બાદ એનસીપીમાં નિર્વિરોધ નેતા બની ગયા. એનસીપીની અંદર પણ અજિત પવારને ઘના બધા નેતા અન્ય નેતા જેવા છગન ભુજબળ, જયંત પાટિલ, દિલીપ વલસે જેવા નેતાઓ પાસેથી પડકાર મળી રહ્યો છે. અજિત પવારનું કદ વધ્યું અને પાર્ટીમાં પ્રભાવ. શરદ પવાર (Sharad Pawar)ની ઇચ્છા હતી કે કેન્દ્રમાં પુત્રી સુપ્રિયા અને રાજ્યમાં ભત્રીજો અજિત પવાર દ્વારા બધુ પ્રભુત્વ પવાર પરિવારમાં જ રહે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news