નવી દિલ્હીઃ દિલ્હીમાં આવેલી અખિલ ભારતીય અયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS)માં શનિવારે મોડી સાંજે પ્રથમ અને બીજા માળે પી.સી. બ્લોકમાં ભીષણ આગ લાગી છે. આ આગ ઈમરજન્સી વોર્ડ પાસે લાગી છે. આગ લાગવાના કારણે ઈમરજન્સી લેબ બંધ કરી દેવાઈ છે. આગ લાગવાની આ ઘટના પછી ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની સંખ્યાબંધ ગાડીઓ પહોંચી ગઈ છે.


ઈમરજન્સી વોર્ડમાંથી દર્દીઓને શિફ્ટ કરી દેવાયા છે. ત્યાર પછી વોર્ડને બંધ કરી દેવાયું છે. આ ભીષણ આગ પર કાબુ કરવા માટે 34 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...