Modi Government: લોકસભા ચૂંટણીની તૈયારીઓને ગતિ આપવામાં લાગેલા ભાજપમાં આ મહિનાના અંતે અનેક મહત્વના નિર્ણય લેવાઈ શકે છે. પાર્ટીની 16-17 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય કારોબારી બેઠક બાદ સંગઠનમાં ફેરફાર સાથે મંત્રી પરિષદમાં પણ ફેરફારની અટકળો છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં અત્યાર સુધીમાં ફક્ત એકવાર જ વિસ્તરણ અને ફેરબદલ થયો છે. આગામી વર્ષે થનારી લોકસભા ચૂંટણીને જોતા વધુ એક વિસ્તારની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મહિનાના બીજા પખવાડિયાની શરૂઆતમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠક થશે. મહિનાના અંતમાં સંસદમાં બજેટ સત્ર શરૂ થશે. આગામી વર્ષે લોકસભા ચૂંટણીને જોતા આ વખતનું બજેટ ચૂંટણીની  દ્રષ્ટિએ ખુબ મહત્વનું રહેશે. તેમાં થનારી જાહેરાતો પર બધાની નજર રહેશે. આ બધા વચ્ચે સરકારને પણ નવું સ્વરૂપ અપાય તેવી પૂરેપૂરી સંભાવના છે. સામાજિક અને રાજનીતિક સમીકરણોની સાથે વિભિન્ન રાજ્યો અને વર્ગોના પ્રતનિધિત્વને ધ્યાનમાં રાખતા પ્રધાનમંત્રી પોતાની સરકારમાં અનેક નવા ચહેરાને જગ્યા આપી શકે છે. કેટલાકને હટાવવામાં પણ આવી શકે છે. 


સૂત્રોના જણાવ્યાં મુજબ બજેટ સત્ર શરૂ થતા પહેલા આ અંગે વિચાર થઈ શકે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની શાનદાર જીત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા અને દિલ્હી નગર નિગમ ચૂંટણીમાં હારના મિક્સ પરિણામોને જોતા ફેરબદલની સંભાવના જતાવવામાં આવી રહી છે. આ સાથે જ કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, અને છત્તીસગઢ જેવા ચૂંટણીવાળા રાજ્યોમાં રાજનીતિક જરૂરિયાતો મુજબ પણ ફેરફાર થઈ શકે છે. 


ભાડુઆતને મળેલા છે આ હક, શું તમને ખબર છે? ભાડે રહેતા લોકો ખાસ વાંચે....


થાઈલેન્ડ ફરવા માટે શાનદાર તક!, માત્ર આટલા રૂપિયામાં ફરો બેંગકોક અને પટ્ટાયા


ગજબ ભેજું આ ગુજ્જુભાઈનું!, સ્કૂટી પર ઢગલો સિક્કા ચોંટાડી દીધા, જુઓ Viral Video


ફેરબદલ હોવાની સ્થિતિમાં જેડીયુ અને શિવસેનાના કોટામાંથી મંત્રી રહી ચૂકેલા નેતાઓના રાજીનામાથી ખાલી પડેલી જગ્યાઓને નવા સહયોગીઓથી ભરવામાં આવી શકે છે. તેમાં એકનાથ શિંદે નેતૃત્વવાળા શિવસેના જૂથને પ્રતિનિધિત્વ મળવાની શક્યતા છે. ચિરાગ પાસવાનની સાથે વધી રહેલી નીકટતા જોતા તેમના માટે પણ જગ્યા બની શકે છે. 


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube