રાંચી : ઝારખંડના પાકુડમાં થયેલા હુમલા પછી રાંચી પહોંચેલા સ્વામી અગ્નિવેશે પોલીસ કાર્યવાહી પર મોટું પ્રશ્નાર્થચિન્હ લગાવી દીધું છે. મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું છે કે હુમલાના આરોપીને ગણતરીમાં છોડી દેવાની સમગ્ર કાર્યવાહી ડ્રામા જેવી લાગે છે. તેમણે રાંચી હાઇકોર્ટના રિટાયર્ડ કે વર્તમાન જજ પાસે આ મામલાની તપાસ કરાવવાની માગણી કરી છે. 


સ્વામી અગ્નિવેશે રાંચીમાં કહ્યું છે કે આ એક જીવલેણ હુમલો હતો. મારી હત્યા પણ થઈ શકી હોત. મારા પર બહુ સમજીવિચારીને હુમલો કરવામાં આ્વ્યો હતો. તેમણે ઝારખંડના ડીઆઇજી દ્વારા આપવામાં આવેલા તપાસના આદેશ પર પણ શંકા વ્યક્ત કરી છે. 


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...