સલેમ (તામિલનાડુ) : તામિલનાડુના મુખ્યમંત્રી પલાનીસામીએ ગુરુવારે સંકેત આપ્યો છે કે તેમની પાર્ટી અન્નાદ્રમુક વડાપ્રધાન મોદીની સરકાર વિરૂદ્ધ લાવવામાં આવનાર અવિશ્વાસના પ્રસ્તાવને સમર્થન નહીં આપે. તેમણે કહ્યું છે કે આ પ્રસ્તાવ તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) દ્વારા આંધ્ર પ્રદેશના હિત સાથે જોડાયેલા મુ્દાઓ મામલે લેવામાં આ્વ્યો છે. 


પલાનીસામીએ કહ્યું છે કે જ્યારે અન્નાદ્રમુકના સાંસદોએ કાવેરી મેનેજમેન્ટ બોર્ડ તેમજ કાવેરી જલ નિયમન સમિતિના ગઠનને લઈને લગભગ ત્રણ અઠવાડિયા સુધી લોકસભાની કાર્યવાહી ચાલવા નહોતી દીધી. એ સમયે કોઈ પાર્ટીએ તામિલનાડુનું સમર્થન નહોતું કર્યું. 


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...