નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી ચૂંટણી હિંસાને ધ્યાનમાં લઈને રાજ્યની નવ લોકસભા બેઠકો પર આગામી 19મીએ થનારા મતદાન માટે નિર્ધારિત પ્રચાર સમય કરતા એક દિવસ અગાઉ પ્રચાર પર પ્રતિબંધ લાદવાના ચૂંટણી પંચના નિર્ણય પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આકરી પ્રતિક્રિયા આપી છે. મમતાએ ચૂંટણી પંચ પર આરોપ લગાવતા કહ્યું કે આ નિર્ણય ભાજપના નિર્દેશ પર લેવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંગાળમાં હિંસા મુદ્દે ચૂંટણી પંચ આકરા પાણીએ, મોટી કાર્યવાહી કરતા પ્રચારનો સમય ઘટાડ્યો


મમતાએ ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને પીએમ મોદી પર નિશાન સાધ્યું. મમતાએ કહ્યું કે, "કોલકાતામાં અમિત શાહે તોફાન કરાવ્યું, શાહ પર કાર્યવાહી થવી જોઈએ. મોદીજી મારાથી અને બંગાળથી ડરે છે."


મમતાદીદીએ 24 કલાકમાં બદલાનો એજન્ડા પૂરો કર્યો, આ વખતે બંગાળ 300થી વધુ સીટ જીતાડશે: PM મોદી


મમતા બેનર્જીએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, "અમિત શાહે આજે પ્રેસ કોન્ફરન્સ કરી, ચૂંટણી પંચને ધમકાવ્યું, શું ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ એ તેનું પરિણામ છે? બંગાળ ડર્યું નથી. બંગાળને ટાર્ગેટ કરવામાં આવ્યું છે કારણ કે હું પીએમ મોદીની વિરુદ્ધમાં છું."


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...