કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ (West bengal Election 2021) ના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) એ એઆીએમઆઈએમ અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી અને આઈએસફના અધ્યક્ષ અબ્બાસ સિદ્દિકી પર મોટો હુમલો કર્યો છે. રાયદિધીમાં એક સભાને સંબોધિત કરતા સીએમ મમતાએ આરોપ લગાવ્યો કે ઓવૈસી અને અબ્બાસ સિદ્દીકીને ભાજપ તરફથી હિન્દુ અને મુસ્લિમ વોટના વિભાજનના પૈસા મળ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મમતા બેનર્જીએ જનસભામાં હાજર લોકોને કહ્યું કે જો તમે એનઆરસી અને વિભાજન નથી ઈચ્છતા કે તો તેને (ઓવૈસી અને અબ્બાસ) મત ન આપો. તેને મત આપવાનો મતલબ છે કે ભાજપને મત આપવો પડશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, અમારી સંસ્કૃતિ છે કે હિન્દુ અને મુસ્લિમ એક સાથે ચા પીવે છે. એક સાથે દુર્ગા પૂજા અને કાલી પૂજા મનાવે છે. અમારા ગામમાં અશાંતિ થવા પર ભાજપને ફાયદો થશે. 


Bengla Election: બંગાળમાં બોલ્યા PM મોદી- 2 મેએ બનશે ડાયરેક્ટ બેનિફિટ આપનારી સરકાર  


ભાજપના સીનિયર નેતા પ્રમાણે રાયદિધીમાં મુસલમાનોની વસ્તી આશરે 30 ટકા છે અને પાર્ટીને પ્રથમવાર આ સીટ જીતવાની સંભાવના છે, જે ક્યારેય તેણે જીતી નથી. ભાજપના નેતા પ્રમાણે મુસલમાનોએ પાછલી ચૂંટણીમાં ટીએમસીને મત આપ્યા હતા પરંતુ હવે તે લેફ્ટના ઉમેદવાર માટે મતદાન કરશે. આ વિભાજનથી ટીએમસી ઉમેદવારના મતમાં ગાબડા પાડી શકે છે. 


ટીએમસી સતત ભાજપ પર હિન્દુ-મુસ્લિમ મત વિભાજનનો આરોપ લગાવી રહી છે. મમતાનું કહેવું છે કે અમે બધા ધર્મો માટે છીએ ભલે તે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય કે ઈસાઈ હોય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube