કોલકાતા: લોકસભા ચૂંટણી 2019ના ઘમાસાણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચેનું ઘર્ષણ ચરમસીમાએ છે. વાર અને પલટવારનો દોર ચાલુ છે. પુરુલિયામાં આયોજિત એક રેલીમાં મમતા બેનર્જીએ કહ્યું કે' 'તેમનું મન મોદીને લોકશાહીનો લાફો મારવાનું છે.' 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO: પીએમ મોદી પર નિશાન સાધવાની લ્હાયમાં પ્રિયંકા ગાંધીએ તમામ હદો કરી પાર


મમતાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે હું સેલરી કે પેન્શન લેતી નથી. હું પુસ્તકો લખુ છું અને તે બેસ્ટ સેલર છે. હું પેન્ટિંગના પૈસા લેતી નથી. મને પૈસાની જરૂર નથી. હું આ રીતે પાર્ટી ચલાવું છું. રૂપિયા પૈસા મારા માટે કોઈ મહત્વ ધરાવતા નથી. જ્યારે નરેન્દ્ર મોદી બંગાળ આવીને બોલે છે કે મમતા બેનર્જીની સરકાર પૈસા ભેગા કરે છે, તે સાંભળતા જ મારું મન કરે છે કે જોરથી લોકશાહીનો એક લાફો મારું.'મમતા બેનર્જીના આ નિવેદન બાદ ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે શાબ્દિક જંગ વધુ વણસવાના પૂરેપૂરા આસાર છે. 


Exclusive: રાફેલ પર બોલ્યા રાજનાથ, 'આરોપ તો ભગવાન રામ ઉપર પણ લાગ્યા હતાં'


આ અગાઉ ભાજપ અધ્યક્ષ અમિત શાહે મંગળવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આરોપ લગાવ્યો છે કે તેઓ રાજ્યમાં લોકોને 'જય શ્રી રામ'ના નારા લગાવવા દેતા નથી. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે જો 'રામ'નું નામ ભારતમાં નહીં તો શું પાકિસ્તાનમાં લેવાશે. એક ચૂંટણી સભાને અહીં સંબોધતા તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાલમાં ચૂંટણી રાજ્યમાં લોકતંત્રને બહાલ કરવા માટે છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...