નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ દરમિયાન નેતાઓના આરોપ-પ્રત્યારોપ પણ ચરમસીમાએ છે. આ બધા વચ્ચે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાની એક પ્રેસ કોન્ફરન્સમાં આજે હોબાળાની સ્થિતિ પેદા થઈ ગઈ. વાત જાણે એમ છે કે કોંગ્રેસ નેતા પવન ખેડા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યાં હતાં. આ દરમિયાન અચાનક એક વ્યક્તિ ઉભો થયો અને બૂમો પાડવા લાગ્યો કે યોગી આદિત્યનાથને અજયસિંહ બિષ્ટ કહેવું એ ભારતીય સંસ્કૃતિનું અપમાન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દિગ્ગજ નેતાની ભવિષ્યવાણીને ટાંકીને યોગીએ કહ્યું- 'નરેન્દ્ર મોદી 25 વર્ષ સુધી PM રહેશે'


પવન ખેડાની આ પ્રેસ કોન્ફરન્સમાં તે વ્યક્તિએ બખેડો ઊભો કરી નાખ્યો. વ્યક્તિ સતત ભારતમાતા કી જય અને વંદે માતરમની બૂમો પાડી રહ્યો હતો. આ સાથે જ તેણે કહ્યું કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અજયસિંહ બિષ્ટ કહેવા એ ભારતીય સંસ્કૃતિનું અપમાન છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...