નવી દિલ્હી: દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. મનમોહન સિંહે કહ્યું કે મોદી સરકારના ચારેકોર મિસમેનેજમેન્ટના પગલે અર્થવ્યવસ્થા મંદીમાં સપડાઈ છે. તેમણે નોટબંધીને એક ખોટો નિર્ણય ગણાવ્યો.  મનમોહન સિંહે કહ્યું કે આજે અર્થવ્યવસ્થાની સ્થિતિ ખુબ ચિંતાજનક છે. ગત ત્રિમાસિક જીડીપી (GDP) માત્ર 5 ટકાના દરે વધ્યો. જે ઈશારો કરે છે કે આપણે એક લાંબા મંદીના દોરમાં છીએ. ભારતમાં ઝડપી વૃદ્ધિ કરવાની ક્ષમતા છે. પરંતુ મોદી સરકારના ચારેકોર મિસમેનેજમેન્ટના કારાણે અર્થવ્યવસ્થા મંદીમાં સપડાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરિફ મોહમ્મદ ખાન કેરળના રાજ્યપાલ બન્યા, કલરાજ મિશ્રાને મળી રાજસ્થાનની જવાબદારી


'નોટબંધી એક ખોટો નિર્ણય હતો'
પૂર્વ પીએમ મનમોહન સિંહે કહ્યું કે "ચિંતાજનક વાત એ છે કે વિનિર્માણ ક્ષેત્રનો વૃદ્ધિ દર માત્ર 0.6 ટકા છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે આપણી અર્થવ્યવસ્થા હજુ પણ નોટબંધીના ખોટા નિર્ણય અને ઉતાવળમાં લાગુ કરાયેલા GSTના નુકસાનથી બહાર આવી શકી નથી."


ઘરેલુ માગમાં ખુબ ઘટાડો છે અને વસ્તુઓના ઉપયોગનો દર 18 મહિનાના સૌથી નીચલા સ્તરે છે. નોમિનલ જીડીપી વૃદ્ધિ દર 15 વર્ષના સૌથી નીચલા સ્તરે છે. કર આવકમાં ખુબ ઘટાડો થયો છે. 


દિગ્વિજય સિંહનું વિવાદીત નિવેદન, કહ્યું- 'મુસ્લિમો કરતા બિન મુસ્લિમો ISI માટે વધારે જાસૂસી કરે છે'


'ટેક્સ આતંકવાદ બેરોકટોક ચાલી રહ્યો છે'
ટેક્સ બ્યુઓએસી એટલે કે જીડીપીની સરખામમીમાં ટેક્સની વૃદ્ધિ રહેનારી છે કારણ કે નાના અને મોટા તમામ વેપારીઓ સાથે જબરદસ્તી થઈ રહી છે અને ટેક્સ આતંકવાદ બેરોકટોક ચાલી રહ્યો છે. રોકાણકારોમાં ઉદાસીનો માહોલ છે. તે અર્થવ્યવસ્થામાં સુધારના આધાર નથી. 


મોદી સરકારની નીતિઓના પગલે મોટી સંખ્યામાં નોકરીઓ ખત્મ થઈ છે. એકલા ઓટોમોબાઈલ સેક્ટરમાં જ 3.5 લાખ લોકોની નોકરીઓ ગઈ છે. અસંગઠિત ક્ષેત્રમાં પણ આ જ પ્રકારે મોટા પાયે નોકરીઓમાં ઘટાડો થશે જેનાથી આપણી અર્થવ્યવસ્થામાં સૌથી નબળા કામદારોને રોજીરોટીથી હાથ ધોવા પડશે. 


ગ્રામીણ ભારતની સ્થિતિ ખુબ ગંભીર છે. ખેડૂતોને તેમના પાકનું યોગ્ય મૂલ્ય મળતું નથી અને ગામડાની આવક પડી છે. જેનું મોદી સરકાર પ્રદર્શન કરવાનું પસંદ કરે છે તે ઓછો મોંઘવારી દર આપણા ખેડૂતોની આવક ઓછી કરીને મેળવાયો છે, જેનાથી દેશમાં 50 ટકાથી વધુ જનસંખ્યા પર પ્રહારો કરાયો છે. 


રાંધણ ગેસ થયો મોંઘો, જાણો હવે કેટલામાં મળશે LPG ગેસ સિલિન્ડર


'સંસ્થાનો પર હુમલા થઈ રહ્યાં છે'
તેમણે કહ્યું કે સંસ્થાનો પર  હુમલા થઈ રહ્યાં છે, તેમની સ્વાયત્તતા ખતમ કરાઈ રહી છે. સરકારને 1.76 લાખ કરોડ રૂપિયા આપ્યા બાદ આરબીઆઈની આર્થિક મિસમેનેજમેન્ટને વહન કરી શકવાની ક્ષમતાનો ટેસ્ટ થશે, અને આ બાજુ સરકાર આટલી મોટી રકમનો ઉપયોગ કરવાની હાલ કોઈ યોજના ન હોવાની વાત કરી રહી છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...