નવી દિલ્હી: પુલવામા આતંકી હુમલા માટે જવાબદાર જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરી દેવાયો છે. જેની પાછળ ભારતની નિર્ણાયક ભૂમિકા રહી છે. હકીકતમાં ભારતે જે પુરાવા આતંરરાષ્ટ્રીય સમુદાયને સોંપ્યા તેના આધારે જ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરી શકાયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતના આ 3 'ખાસ મિત્રો'ની જબરદસ્ત ધાક ધમકી...અને મસૂદ મુદ્દે ચીન ઘૂંટણિયે પડ્યું


વાત જાણે એણ છે કે 1994માં મસૂદ અઝહરને જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં પકડવામાં આવ્યો હતો. ત્યારબાદ તપાસ એજન્સીએ તેની પાસેથી અનેક રહસ્યો ઓકાવ્યાં હતાં. જેના આધારે ભારતીય ગુપ્તચર એજન્સીઓએ અઝહર વિરુદ્ધ અનેક પુરાવા ભેગા કર્યા હતાં. આ રિપોર્ટમાં તેણે પોતે સ્વીકાર્યું હતું કે તે આતંકી સંગઠન સાથે જોડાયેલો છે. ગુપ્તચર એજન્સીઓના તે રિપોર્ટ(Interrogation report) થી જે પુરાવા ભારતે ભેગા કર્યા તેની અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં મોટી ભૂમિકા રહી છે. 


વૈશ્વિક સ્તરે ભારતની કૂટનીતિક જીતથી પાકિસ્તાનના હોશ ઉડ્યા, મસૂદ પર આપ્યું મોટું નિવેદન


મસૂદ અઝહરનું નિવેદન
તે રિપોર્ટ મુજબ મસૂદ અઝહરને સૌથી પહેલા 11 ફેબ્રુઆરી 1994ના રોજ અનંતનાગમાં પકડવામાં આવ્યો હતો. તે વખતે તેણે જણાવ્યું હતું કે તે સંગઠન હરકત ઉલ અંસાર નામના આતંકી સંગઠન સાથે જોડાયેલો છે. તે સમયે તે સંગઠનનો સેક્રેટરી જનરલ હતો. તેણે એ પણ જણાવ્યું હતું કે તે પાકિસ્તાનના બહાવલપુરના મોડલ ટાઉનમાં કૌસર કોલોનીનો રહીશ છે. તેની અફઘાનિસ્તાનમાં આતંકી ટ્રેનિંગ પણ થઈ હતી. 


જુઓ LIVE TV


દુનિયાના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....