શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) આતંકવાદીઓને ખતમ કરવા માટે ચલાવવામાં આવી રહેલા સુરક્ષા દળોના ઓપરેશન પર પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ (Mehbooba Mufti સવાલો ઉઠાવ્યા છે, અને સરકારના આ આરોપો પર જવાબ માંગ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્વીટ્સ કરી ઉઠાવ્યા સવાલ
મુફતિએ ટ્વિટર પર એક સ્થાનિક પત્રકારના ટ્વીટને કોટ કરતા લખ્યું, 'જમ્મુ-કાશ્મીરમાં દરરોજ એન્કાઉન્ટર્સ થાય છે, પરંતુ જ્યારે કાયદેસરના સવાલો ઉભા થાય છે. ત્યારે સુરક્ષા દળોને જવાબદાર ગણવા જોઇએ. કુલગામ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા 17 વર્ષના સગીરના માતા-પિતાએ દાવો કર્યો છે કે તે નિર્દોષ નાગરિક હતો. આ આરોપ પર સ્પષ્ટતા થઈ જોઈએ.


સુરક્ષા દળોનો આતંક પર મોટો હુમલો, પુલવામામાં 5 આતંકીઓને માર્યા ઠાર


લશ્કરનો જિલ્લા કમાન્ડર ઠાર
બીજી તરફ આતંકવાદીઓ સામે ચાલી રહેલા ઓપરેશનમાં મોટી કાર્યવાહી કરતાં શુક્રવારે સુરક્ષા દળોએ વધુ 5 આતંકીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં લશ્કર-એ-તૈયબાના જિલ્લા કમાન્ડર નિશાજ લોન પણ શામેલ છે. જમ્મુ-કાશ્મીર પોલીસના આઈજી (શ્રીનગર ઝોન) વિજય કુમારે કહ્યું કે પુલવામાના હંજિન રાજપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે મુકાબલો થયો છે. આ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ સર્ચ ઓપરેશન દરમિયાન ગુરુવારે મોડી રાત્રે ગોળીબાર કર્યો હતો. જે બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને 5 આતંકીઓને ઠાર કર્યા હતા. આ દરમિયાન એક સૈનિક પણ શહીદ થયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube