શ્રીનગરઃ Srinagar Terrorist Attack On Bus: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષાદળોની એક બસ પર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 12 જવાનો ઈજાગ્રસ્ત થવાના સમાચાર છે. જ્યારે 2 જવાન શહીદ થયા છે. ઘટનાબાદ ઈજાગ્રસ્ત જવાનોને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. ઘટના બાદ પોલીસે આ વિસ્તારમાં ઘેરાબંધી કરી છે. 


પ્રાથમિક સૂચના પ્રમાણે સૂત્રોનું કહેવું છે કે સુરક્ષાદળોની બસ પર બેથી ત્રણ આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાનોથી ભરેલી બસ શ્રીનગરના બહારના વિસ્તારમાં આવેલ જવનમાં સ્થિત પોલીસ ટ્રેનિંગ કોલેજ તરફ જઈ રહી હતી. આ બસમાં જમ્મુ-કાશ્મીર આર્મર્ડ પોલીસની નવમી બટાલિયનના જવાન સફર કરી રહ્યાં હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube