નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કોલ માઈનિંગ અને તેના વેચાણ માટે 100 ટકા વિદેશી રોકાણને મંજુરી આપી છે. આ સાથે જ તેની સાથે સંકળાયેલા કાર્યો જેમ કે કોલસાનું પરિવહન વગેરેમાં પણ 100 ટકા સીધા વિદેશી રોકાણને મંજુરી આપવામાં આવશે. મોદી સરકારની બુધવારે મળેલી મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની રેલવે અને વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે માહિતી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી પત્રકાર પરિષદ પછી પીયુષ ગોયલે જણાવ્યું કે, સૌથી પહેલો ફેરફાર કરતા કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગમાં 100 ટકા સીધા વિદેશી રોકાણ (FDI)ને મંજુરી આપવામાં આવી છે. હવે બહારના લોકો ભારતમાં આવીને પોતાનો સમાન બનાવી શકશે. 


સમગ્ર દેશમાં ખુલશે 75 નવી મેડિકલ કોલેજ, 15,700 સીટ વધશેઃ મોદી કેબિનેટની મંજુરી 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....