Narendra Modi Cabinet Ministers New List: પીએમ મોદી મંત્રિમંડળમાં ગઢવાલ સંસદીય સીટ પરથી નવા ચૂંટાયેલા સાંસદ અનિલ બલૂનીના મંત્રી બનવાની પ્રબળ સંભાવનાઓ છે. જો અનિલ બલૂની મંત્રીમંડળમાં જગ્યા બનાવી લે છે તો તે મોદી મંત્રીમંડળમાં ગઢવાલથી પહેલાં સાંસદ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે લોકસભા ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરનાર અજય ભટ્ટ અને ત્રિવેંદ્ર રાવત પણ મંત્રી પદના પ્રબળ દાવેદારોમાં સામેલ છે. નવા ચૂંટાયેલા સાંસદ બલૂની ભાજપાના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી છે. એક દાયકાથી વધુ સમયથી તે પાર્ટીના રાષ્ટ્રીય સંગઠનમાં મહત્વના પદો રહ્યા છે. 


તેના લીધે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નજીકનામાં ગણતરી થાય છે. રાજ્યસભા સાંસદના રૂપમાં બલૂની, ઉત્તરાખંડને ઘણી ભેટ આપી ચૂક્યા છે. ભાજપ હાઇકમાન્ડે ગઢવાલના સાંસદ તીરથ રાવતની ટિકીટ કાપીને આ વખતે બલૂનીને ટિકીટ આપી હતી. 


લોકસભા ચૂંટણીમાં 10 સૌથી મોટી જીત, બીજા નંબર પર આ કોંગ્રેસ ઉમેદવારે મારી બાજી


જોકે બલૂનીની ટિકીટ, ચૂંટણી આચાર સંહિતા લાગૂ થયા બાદ નક્કી થઇ હતી. એવામાં તેમણે ચૂંટણી પ્રભાવ માટે ઓછો સમય મળ્યો હતો. તેમછતાં પોતાના મજબૂત મેનેજમેન્ટના દમ પર મોટી જીત સાથે સાંસદ સુધીની સફર સફળતાપૂર્વક પાર પાડી છે. 


નોંધનીય છે કે સામાન્ય ચૂંટણી માટે રાજ્યમાં પ્રચાર દરમિયાન પોતાની જનસભાઓમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને રાજનાથ સિંહે જો તેઓ ચૂંટાય છે તો બલુનીનું કદ વધારવાના સંકેત આપ્યા હતા.


BUY-SELL: આજે આ Top 10 Stocks કરાવી શકે છે કમાણી? ગુમાવેલા રૂપિયા થઇ જશે રિકવર
શેરબજારની સુનામીમાં અદાણીને ₹208129 કરોડનો ઝટકો, અંબાણીએ ગુમાવ્યા ₹75144 કરોડ


ભટ્ટની જીતનું દબાણ
નૈનીતાલ સીટ પરથી અજય ભટ્ટે આ ચૂંટણીમાં પણ પ્રચંડ જીત નોંધાવી છે. ગત ચૂંટણીમાં અજય ભટ્ટે 3,39,096 વોટના અંતરથી જીત નોંધાવી હતી. આ વખતે પણ તે 3,34,548 મતોથી આગળ રહ્યા. તેથી તે પણ મંત્રીમંડળના પ્રબળ દાવેદારોમાં સામેલ છે. 


રિઝલ્ટ બાદ દોડશે આ 5 શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો, 1 વર્ષમાં મળશે તગડું રિટર્ન
નવી સરકારમાં મલ્ટીબેગર બની શકે છે 2 STOCKS, એક્સપર્ટે કહ્યું-1 વર્ષ માટે ખરીદી લો


ત્રિવેન્દ્ર પણ દોડમાં સામેલ 
હરિદ્વારથી નવા ચૂંટાયેલા સાંસદ ત્રિવેંદ્ર રાવતે પણ કેન્દ્રીય મંત્રી પદની દોડમાં છે. ભાજપ હાઇકમાંડે આ વખતે ડો. રમેશ પોખરિયા નિશંકની ટિકીટ કાપી તેમના ઉપર વિશ્વાસ મુક્યો હતો. ત્રિવેન્દ્ર કસોટી પર ખરા ઉતર્યા તથા 1,64,056 મતોના અંતરથી જીત નોંધાવી.