નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેરની અસર હવે ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ધીમી પડી ચુકી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં સોમવારે માત્ર 89 નવા કેસ સામે આવ્યા છે, જે વર્ષ 2021માં સૌથી ઓછા છે, જ્યારે 11 લોકોના મૃત્યુ થયા છે. પરંતુ દેશના ઘણા દક્ષિણ અને પૂર્વોત્તરના રાજ્યોમાં હજુ કોરોના કેસ રોકવામાં અપેક્ષા મુજબ સફળતા મળી નથી. આ વચ્ચે કોરોના વેક્સિનેશન અભિયાન જોર-શોરથી ચાલી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં સોમવારે સંશોધિત નવી ગાઇડલાઇન લાગૂ થવાના પ્રથમ દિવસે રેકોર્ડ 69 લાખથી વધુ કોરોના વેક્સિનના ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. આ પહેલા કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધને સાંજે 4 કલાકે ટ્વીટ કરતા કહ્યુ હતુ કે વિશ્વનની સૌથી મોટી વેક્સિનેશન ડ્રાઇવ ચાલી રહી છે. તેમણે કહ્યું કે, વેક્સિનેશન ડ્રાઇવમાં સંશોધિત ગાઇડલાઇન લાગૂ થયા બાદ એક દિવસમાં રેકોર્ડ 47 લાખ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. 


ત્યારબાદ 5.30 કલાકે સ્વાસ્થ્ય મંત્રાલયે આંકડા જાહેર કરતા કહ્યું કે, દેશમાં નવી ગાઇડલાઇન લાગૂ થયા બાદ એક દિવસમાં 69 લાખથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. 


આ વર્ષે પણ કોરોનાને કારણે રદ્દ થઈ અમરનાથ યાત્રા, શ્રદ્ધાળુઓ ઓનલાઇન કરી શકશે દર્શન


સ્વાસ્થ્ય મંત્રાલયમાં આ કવાયદનો ઇરાદો બધા કર્મચારીઓને માસ્ક વિતરિત કરવાનો છે અને તેને પ્રથમ હરોળના કર્મચારીઓથી શરૂ કરી અન્ય કર્મચારીઓ સુધી પહોંચાડવામાં આવશે. નિવેદનમાં તેમના હવાલાથી કહેવામાં આવ્યું- કોવિડ-19 રોકવા માટે સરકારે પાછલા વર્ષે સતત કામ કર્યું. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં આપણે કેસને ઘટાડી ઓછા કરવામાં ખુબ સફળ રહ્યાં છીએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube