લખનઉઃ લખીમપુર ખીરીમાં થયેલી હિંસાના મુખ્ય આરોપી આશીષ મિશ્રાને ત્રણ દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. કોર્ટે આરોપી આશીષ મિશ્રાને ઝટકો આપતા તેના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે આગામી ત્રણ દિવસ સુધી એસઆઈટી આશીષની વધુ પૂછપરછ કરશે. મહત્વનું છે કે લખીમપુર ખીરી હિંસામાં ચાર કિસાનો સહિત કુલ 8 લોકોના મોત થયા હતા. 


ફરિયાદી વકીલ એસપી યાદવે જણાવ્યું કે આશિષ મિશ્રાને 3 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. ફરિયાદી દ્વારા 14 દિવસની માંગણી કરવામાં આવી હતી પરંતુ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 12 થી 15 તારીખ સુધી શરતો સાથે રિમાન્ડ મળશે. આ દરમિયાન મેડિકલ કરવામાં આવશે અને હેરાન કરવામાં આવશે નહીં. એડવોકેટ દૂર ઉભા રહીને વાત કરી શકે છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube