લખનઉઃ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ  (mulayam singh yadav) કોરોનાથી સંક્રમિત થયા છે. આ સિવાય તેમના પત્ની સાધનાનો પણ કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સમાજવાદી પાર્ટીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ જાણકારી આપવામાં આવી છે. જાણવા મળ્યું છે કે મુલાયમ સિંહ યાદવમાં કોરોનાના લક્ષણ નથી. પરંતુ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારબાદ તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંહ ડોક્ટરોની દેખરેખમાં છે. તેમના પત્નીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા ઓગસ્ટમાં તબીયત બગડવા પર મુલાયમ સિંહને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 80 વર્ષના મુલાયમને મૂત્રનળીમાં સંક્રમણ બાદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સ્થિતિમાં સુધાર થયા બાદ તેમને રજા આપવામાં આવી હતી. 


ભારે વરસાદથી આંધ્ર પ્રદેશ-તેલંગણામાં 25 લોકોના મોત, પીએમ મોદીએ મદદની ખાતરી આપી

ત્યારબાદ તેમણે યૂપીમાં જનતા દળ અને લોકદળના પ્રમુખનો પણ કાર્યકાળ સંભાળ્યો અને વર્ષ 1989મા પ્રથમવાર દેશના સૌથી મોટા રાજ્યના સીએમ બન્યા હતા. વર્ષ 1992મા તેમણે સમાજવાદી પાર્ટીની સ્થાપના કરી અને વર્ષ 1993થી 1995 સુધી બીજીવાર મુખ્યમંત્રીની ગાદી સંભાળી હતી. તેઓ કેન્દ્રમાં રક્ષામંત્રી રહ્યા હતા. વર્ષ 2003-07 સુધી તેઓએ ફરી સીએમની કમાન સંભાળી હતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube