Mumbai-Ahmedabad Highway Accident News: મુંબઈ-અમદાવાદ હાઈવે પર ભીષણ અકસ્માત સર્જાયો છે. આ હાઈવે પર પાલઘર જિલ્લાના દહાણુ વિસ્તારમાં એક કાર અને લક્ઝરી બસ વચ્ચે ટક્કર થઈ. આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા. પાલઘર પોલીસ તરફથી આ જાણકારી આપવામાં આવી. પોલીસે જણાવ્યું કે કાર ગુજરાતથી મુંબઈ જઈ રહી હતી. આ દરમિયાન કાર ચાલકે કાબૂ ગુમાવ્યો અને ત્યારબાદ બસ સાથે ટકરાઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈ અમદાવાદ હાઈવે પર એક કાર અને લક્ઝરી બસ વચ્ચે થયેલા આ અકસ્માતમાં એક મહિલા સહિત ચાર લોકોના મોત નિપજ્યા છે. ઘટના મહાલક્ષ્મી મંદિર પાસે મળસ્કે 3 થી 3.30 વાગ્યા વચ્ચે થઈ. જે દહાણુ વિસ્તારમાં ચારોટીથી લગભગ પાંચ કિલોમીટર દૂર છે. મંગળવારે સવારે ગુજરાતથી મુંબઈ જઈ રહેલી એક કારના ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને લક્ઝરી બસને ટક્કર મારી દીધી. ઘટનાસ્થળે જ કાર સવાર ચાર લોકોના મોત થયા. લક્ઝરી બસ ડ્રાઈવર અને અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે. 


બજેટના એક દિવસ પહેલા થયો મોટો ખુલાસો, ઘર ખરીદનારાઓને થશે મોટો ફાયદો!


લીલા બટાકા સહિત આ 4 વસ્તું ભૂલેચૂકે ન ખાવી જોઈએ, કારણ ખાસ જાણો નહીં તો પસ્તાશો


આ શિવલિંગ પર દૂધ ચઢાવવાથી બદલાઈ જાય છે રંગ, લોકો કહે છે આ તો ચમત્કાર!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube