નવી દિલ્હી: મુંબઈમાં એક વાર ફરીથી આગ લાગી છે. આજે સવારે કમલા મિલ કમ્પાઉન્ડ પાસે સ્થિત એક નિર્માણધીન ઈમારતના ઉપરના માળમાં આગ લાગી છે. આગ લાગવાની સૂચના મળતા જ ફાયરની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ લાગવાના કારણ અંગે હજુ કોઈ જાણકારી મળી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે મુંબઈના ચેમ્બુર પાસેના તિલકનગર સ્થિત સરગમ સોસાયટીની ઈમારતના 14માં માળ પર ગુરુવારે આગ લાગી હતી. આ અકસ્માતમાં 4 વૃદ્ધ સહિત 5 લોકોના મોત થયા હતાં. મુંબઈના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર વી એન પનિગ્રહીના જણાવ્યાં મુજબ ચેમ્બુરની સરગમ સોસાયટીની ઈમારતમાં ગુરુવારે આગ લાગી હતી. જે મુજબ ફાયર વિભાગની પાસે રાતે 7.46 વાગે કોલ આવ્યો હતો. ફાયરની 8 ગાડીઓ, એક ટેન્કર અને અનેક એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યાં હતાં. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...