Mumbai Rains: મુંબઇમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાયું છે, જેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઇ છે. ત્યારે આજના દિવસે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર ક્યું છે. આ સાથે જ હાઈ ટાઈડ એલર્ટ પણ જાહેર કર્યું છે. જાણકારી અનુસાર અંધેરીમાં પાણી ભરાઈ ગયા છે. બસ-મેટ્રો અને ટ્રેનના રૂટ ડાયવર્ટ કરવા પડ્યા છે. ઘરથી નીકળતા પહેલા બદલાયેલા રૂટની જાણકારી જરૂરથી મેળવી લો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ
હવામાન વિભાગે આપેલી જાણકારી અનુસાર મુંબઇ શહેર અને આસપાસના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ સાથે જ ક્યારેક ક્યારે ભારે પવન 45-55 કિમી પ્રતિ કલાકની ગતીથી ફૂંકાવવાની શક્યતા છે.


રાષ્ટ્રિય ચિન્હ મુદ્દે કેમ ઉભી થઈ છે બબાલ? કરોડો ભારતીયો માટે કેમ આ મુદ્દો છે જાણવો જરૂરી?


બસના બદલાયેલા રૂટ
નીચેના બેસ્ટ બસ માર્ગોને બદલવામાં આવ્યા છે. બદલાયેલા માર્ગ આ પ્રકારે છે.


સાયન રોડ નંબર 24 પર સાયન રોડ નંબર 3 થી બસ નંબર 341, 411, 22, 25, 312


High Tide નો સમય
11:44hrs – 4.68mtr
23:38 hrs – 4.06 mt


Low tide નો સમય
17:48 hrs- 1.73 mtr


શું અશોક સ્તંભની ડિઝાઈનમાં કરવામાં આવી શકે છે ફેરફાર, શું કહે છે કાયદો?


પાલઘર કલેક્ટરે જણાવ્યું કે, પાલઘર જિલ્લાના વસઇ વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. ઘરોને ક્ષતિગ્રસ્ત થવાની સાથે કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં બે લોકોને બચાવવામાં આવ્યા છે.


પાલઘર જિલ્લાના વસઇ વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટનામાં એક વ્યક્તિનું મોત, બે લોકો ગંભીર રીતથી ઘાયલ થયા છે. જિલ્લાના કલેક્ટરનું કહેવું છે કે બચાવ અભિયાન ચાલી રહ્યું છે.


સુશાંતને રિયા ચક્રવર્તીએ ડ્રગ્સની લતે ચઢાવ્યો, NCB નો મોટો ખુલાસો


વર્ધા જિલ્લામાં કચ્ચા વન બાંધ તૂટી ગયો છે. જે બાદ ત્રણ ગામમાં પાણી ભરાયા છે. આખા રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે.