નવી દિલ્હી: શાંગ્રિ...લા...શંભાલા...સિદ્ધાશ્રમ...જ્ઞાનગંજ... આ બધી એક જ જગ્યાના અનેક નામ છે. જે ભારત અને તિબ્બત વચ્ચે આવેલા કૈલાશ પર્વતની ઘાટીઓમાં છે. દુનિયાની એકમાત્ર જગ્યા છે જ્યાં મોત કે બીમારી જેવા કોઈ પણ પ્રકારના ડરનું નામોનિશાન નથી. પરંતુ આ જગ્યા દુનિયાની નજરથી ઘણી દૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યાં છે શાંગ્રિ-લા?
શાંગ્રિ-લા એટલે કે સિદ્ધાશ્રમ દુનિયાની એક માત્ર એવી જગ્યા છે, જ્યાં આ દુનિયામાં રહેતા હોવા છતાં તમે તેનાથી કોસો દૂર છો. અહીંના અનુભવ ધરાવતા લોકોએ તેને ભૂ-શૂન્ય અને વાયુ-શૂન્ય ગણાવી છે. અહીં સમય પોતાનો પ્રભાવ છોડતો નથી. 


આ પુસ્તક વર્ષ 1933માં લખાયું, તેને ક્લિક કરીને તમે અહીં વાંચી શકો છે. 



જો કે આ એક ફિક્શન ઉપન્યાસ છે. પરંતુ તેમા શાંગ્રિ-લા એટલે કે શંભાલાનું એકદમ જીવંત વર્ણન છે. હકીકતમાં આ નોવેલ સમ્રાટ અકબરના જમાનાની એટલે કે 425 વર્ષ પહેલા કરાયેલી એક મુસાફરી પર આધારિત છે. જે એક પોર્ટુગલી જેસુઈટ પાદરી એન્ટોનિયો એન્ડ્રેડના અનુભવો પર આધારિત હતી. એન્ટોનિયો ભારતીય યોગીઓ અને સન્યાસીઓની સાથે જ્ઞાનગંજની મુસાફરીએ ગયા હતાં. તેમણે પોતાના જે અનુભવ લખ્યા, તે 1926માં ડિસ્કવરી ઓફ તિબ્બતના નામથી કોલકાતાના એક અભ્યાસમાં છપાયા. તેના અંગે તમે વિસ્તારથી અહીં વાંચી શકો છો. 


જેમ્સ હિલ્ટને આ રિસર્ચ પેપરથી પોતાની નોવેલ માટે જાણકારી ભેગી કરી. આથી તેમનું પુસ્તક એકદમ જીવંત ઊભરી આવ્યું અને તેને ખુબ પ્રસિદ્ધિ મળી. તેમની નોવેલ ધ લાસ્ટ હોરાઈઝન પર તે સમયે એ જ નામથી 1937માં એક ફિલ્મ પણ બની જે ખુબ લોકપ્રિય થઈ. આ ઉપરાંત વર્ષ 1942માં એક અંગ્રેજ ઓફિસર એલપી ફેરલે તે સમયે આ વિસ્તારની મુસાફરી દરમિયાન થયેલા અજીબોગરીબ અનુભવો વિશે પણ 1959માં સાપ્તાહિક હિન્દુસ્તાનમાં એક કોલમ દ્વારા લેખ પ્રકાશિત કરાવ્યાં હતાં. 


ભારતીય સન્યાસીઓને શાંગ્રિ-લા વિશે પૂરી માહિતી હતી
અનાદી કાળથી હિમાલયનો સંપૂર્ણ વિસ્તાર ભારતીય સંતોનો રહ્યો છે. પ્રાચીન કાળથી લઈને આધુનિક યુગમાં મહાત્મા તૈલંગ, સ્વામી લોકનાથ બ્રહ્મચારી લાલ મિસ્ત્રી, રામ ઠાકુર, સદાનંદ સરસ્વતી પ્રભુપાદ, વિજય કૃષ્ણ ગોસ્વામી, સ્વામી વિશુદ્ધાનંદ, શ્યામાચરણ લાહિરી, વગેરેને શાંગ્રિલા એટલે કે સિદ્ધાશ્રમ અંગે વિસ્તારથી માલુમ હતું. 



પરમહંસ યોગાનંદના પ્રસિદ્ધ પુસ્તક એન ઓટોબાયોગ્રાફી ઓફ યોગીમાં શાંગ્રિલા એટલે કે શંભાલાને મહાવતાર બાબાજીનું સ્થાયી નિવાસસ્થાન ગણાવાયું છે. તેઓ પોતાના પુસ્તકમાં આ સ્થળનું ખુબ જ જીવંત વર્ણન કરે છે જાણે તેમણે પોતે સિદ્ધાશ્રમને પોતાની નરી આંખે જોયો હોય. 


તંત્રમાર્ગના પ્રસિદ્ધ ગુરુ સ્વર્ગીય નારાયણ દત્ત શ્રીમાળીના શબ્દોમાં સિદ્ધાશ્રમ એક એવો સંસાર છે જેમાં પરમ શક્તિશાળી યોગીઓ સહિત સતયુગ ત્રેતા દ્વાપર યુગના અનેક મહાન વિભૂતિઓ, અને ઋષિ કે જેમા રામ, કૃષ્ણ, વિશ્વામિત્ર, વશિષ્ઠ કૃપાચાર્ય, વગેરે સિદ્ધાશ્રમમાં હજારો વર્ષથી શરીરમાં જીવિત સમાધિમુદ્રામાં લીન છે. પદ્મ વિભૂષણ અને સાહિત્ય એકેડેમીથી નવાજવામાં આવેલા અને ગવર્મેન્ટ સંસ્કૃત કોલેજના પ્રાચાર્ય રહી ચૂકેલા ડો.ગોપીનાથ કવિરાજે પણ પોતાના પુસ્તકમાં શાંગ્રિલાનો ઉલ્લેખ કર્યો છે. 


ભારતના પ્રાચિન ગ્રંથોમાં તેનો ઉલ્લેખ છે
શાંગ્રિલાને સ્વર્ગનું દ્વાર પણ કહે છે. મહાભારતમાં જ્યારે પાંડવોનો ધરતી પર જીવનકાળ ખતમ થાય છે અને તેઓ સ્વર્ગ લોક તરફ શરીર સાથે હિમાલય તરફ પ્રયાણ કરે છે. પરંતુ રસ્તામાં દ્રોપદી સાથે તમામ બરફમાં મૃત્યુને વરે છે. ફક્ત યુધિષ્ઠિર જ પોતાના ધર્મરૂપી કૂતરા સાથે સ્વર્ગ પહોંચી શકે છે. 



હિમાલય સ્થિત આ સ્વર્ગ બીજુ કઈ નહીં પરંતુ સિદ્ધાશ્રમ એટલે કે જ્ઞાનગંજ અર્થાત શંભાલા એટલે કે શાંગ્રિલા જ હતો. જ્યાં ફક્ત યુધિષ્ઠિર જેવા જ્ઞાનવાન જ પ્રવેશ કરી શકે તેમ હતાં. શંભાલા એટલે કે શાંગ્રિલા ઘાટીને કૈલાશ પર્વતની રહસ્યમય દુનિયા કે પ્રવેશ દ્વાર પણ કહી શકો છો. શંભાલાનું અનુમાનિત સ્થાન કૈલાશ પર્વતના સમીવર્તી ઘાટીઓમાં જ ક્યાંક સ્થિત છે. જ્યાથી શિવના પવિત્ર નિવાસની શરૂઆત થાય છે. કૈલાશ પર્વત દુનિયાનો સૌથી દુર્ગમ પહાડ છે. જેના પર આજ સુધી કોઈ ચઢી શક્યું નથી. કારણ કે તેની નીચે યોગીઓની અદ્રશ્ય નગરી શંભાલા કે શાંગ્રિલા હોવાનું કહેવાય છે. શાંગ્રિલા ઘાટી અંગે અનેક વીડિયો યુટ્યુબ પર ઉપલબ્ધ છે જે અનેક પ્રકારના દાવા પણ કરે છે.