ચેન્નઈઃ Rajiv Gandhi Assassination Case: પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી (Rajiv Gandhi) ની હત્યાની દોષી નલિની શ્રીહરન (Nalini Sriharan) ને શનિવાર, 12 નવેમ્બર 202ના જેલમાંથી છોડી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવાર 11 નવેમ્બરે હત્યાકાંડના તમામ છ દોષીતોને છોડવાનો આદેશ આપ્યો હતો. નલિની શ્રીહરનને જેલમાંથી છોડતા પહેલા તમિલનાડુના વેલ્લોર પોલીસે રૂટીન પ્રક્રિયા પૂર્ણ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેલમાંથી છુટતા પહેલાં નલિની આજે સવારે વેલ્લોરના પોલીસ સ્ટેશનમાં ગઈ હતી. જ્યારે પેરોલ શરતો હેઠળ તેણે પોતાની હાજરી પૂરાવી હતી. દિવસમાં તેનો વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તે પોલીસ તેને વેનમાં લઈ જઈ રહી હતી. સમય પહેલા છોડવાની માંગને લઈને દેશની સર્વોચ્ચ કોર્ટનો દરવાજો ખખડાવવામાં આવ્યો હતો. કોંગ્રેસે આ મુક્તિને દુર્ભાગ્યપૂર્ણ જણાવી હતી. નલિનીએ ખુદ વિશે કહ્યું કે તે આતંકવાદી નથી. 


હિમાચલમાં મતદાન પૂર્ણ, સાંજે 5 કલાક સુધી 65.50% મતદાન, 8 ડિસેમ્બરે પરિણામ


નલિની સિવાય તેના પતિ વી. શ્રીગરન ઉર્ફે મુરૂગન, આરપી રવિચંદ્રન, સંતન, રોબર્ટ પાયસ અને જયકુમારને છોડવાના છે. શ્રીહરન, સંતન, રોબર્ટ અને જયકુમાર શ્રીલંકાના નાગરિક છે, જ્યારે નલિની અને રવિચંદ્રન તમિલનાડુના છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube