નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ મહામારી સામે લડવાની રીતો પર ચર્ચા માટે નોન અલાયન મૂવમેન્ટ (NAM)ની વર્ચ્યુઅલ સમિટમાં ભાગ લીધો. આ બેઠકમાં પીએમ મોદીની સાથે વિદેશ મંત્રી એસ જયશંકર પણ સામેલ થયા હતાં. પીએમ મોદીએ દુનિયાના દેશો સાથે વાત કરતા કરતા પાકિસ્તાનને આડે હાથ પણ લઈ લીધુ. તેમણે કહ્યું કે જ્યારે આખો દેશ કોરોના સંકટ સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે કેટલાક લોકો એવા પણ છે જે આતંકવાદ વાયરસ ફેલાવી રહ્યાં છે. જમ્મુ અને કાશ્મીરના હંદવાડામાં આતંકી હુમલો થયો હતો જેમાં પાંચ બે અધિકારીઓ સહિત પાંચ જવાન શહીદ થયા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

J&K હંદવાડમાં CRPF ની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકવાદી હૂમલો, 3 જવાન શહીદ, 1 આતંકવાદી ઠાર


પીએમ મોદીએ કહ્યું કે આ સંકટ દરમિયાન અમે દેખાડ્યું છે કે એક વાસ્તવિક જન આંદોલન બનાવવા માટે લોકતંત્ર, અનુશાસન અને નિર્ણાયકતા એક સાથે કેવી આવી શકે છે. 2014માં વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર તેમણે NAM બેઠકમાં ભાગ લીધો. વડાપ્રધાને કહ્યું કે લોકો જો સાધારણ આયુર્વેદિક ઘરેલુ નુસ્ખા અપનાવે તો તેમની રોગ પ્રતિકારક શક્તિ વધી શકે છે. 


કાશ્મીરના હંદવાડામાં બે આતંકી ઢેર, ઓપરેશનમાં સેનાના બે મોટા અધિકારી સહિત 5 શહીદ


વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જૂથનિરપેક્ષ આંદોલન શિખર સંમેલનને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે અમે કોવિડ 19 સંકટ સામે ઝઝૂમી રહ્યાં છીએ એવામાં પણ કેટલાક લોકો આતંકવાદ, ફેક ન્યૂઝ અને છેડછાડ દ્વારા બનાવવામાં આવેલા વીડિયો જેવી બીજા ઘાતક વાયરસ ફેલાવવામાં લાગ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આ સંકટ દરમિયાન અમે દેખાડ્યું કે એક વાસ્તવિક જન આંદોલન બનાવવા માટે લોકતંત્ર, અનુશાસન અને નિર્ણાયક કેવી રીતે એક સાથે આવી શકે છે. ભારતીય સભ્યતા સમગ્ર દુનિયાને એક પરિવાર તરીકે જુએ છે. જ્યારે અમે અમારા નાગરિકોની દેખભાળ કરીએ છીએ, તો અમે બીજા દેશોને પણ મદદ કરીએ છીએ. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube