નવી દિલ્હી : ગાંધીનગરથી આ વખતે પાર્ટીની ટિકિટ નહી મળ્યા બાદ ભાજપનાં દિગ્ગજ લાલકૃષ્ણ અડવાણીએ પોતાની પહેલી જાહેર ટીપ્પણીમાં પાર્ટીની નીતિઓ અને સિદ્ધાંતો મુદ્દે મહત્વની વાત કરી છે. અડવાણી પોતાનાં બ્લોગમાં લખ્યું કે, અમે ક્યારે પણ રાજનીતિક વિરોધીઓને દુશ્મન કે દેશ વિરોધી નથી માન્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પંચના અધિકારીએ મુખ્યમંત્રીના કાફલાને અટકાવી ચેકિંગ કર્યું

ભાજપ દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ 6 એપ્રીલનાં રોજ પાર્ટીનાં સ્થાનાં દિવસનાં 2 દિવસ પહેલા એક બ્લોગ લખીને ગાંધીનગરની જનતા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો, જ્યાંથી તેઓ 1991થી ચૂંટણી લડતા આવ્યા છે અને 6 વખત સાંસદ રહી ચુક્યા છે. આ વખતે ગાંધીનગરથી ભાજપ અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. ભાજપના સંસ્થાપક અડવાણીએ બ્લોગમાં લખ્યું કે, તેમનાં જીવનનો સિદ્ધાંત રહ્યો છે કે સમગ્ર દેશ સૌથી પહેલા ત્યાર બાદ પાર્ટી અને આખરે તે પોતે. તેમણે લખ્યું કે, દરેક સ્થિતીમાં તેમણે આ સિદ્ધાંત પર અટલ રહેવાનાં પ્રયાસો કર્યા છે જે આગળ પણ ચાલી રહી છે. ખાસ વાત છે કે ગાંધીનગરથી ભાજપની ટિકિટ નહી મળવાનાં કારણે અડવાણીની આ પહેલી જાહેર પ્રતિક્રિયા છે. 


શત્રુઘ્ન સિન્હાની પત્નીને લખનઉથી લડાવાશે, રાજનાથને પાડી દેવાનો આવો છે કોંગ્રેસ-સપા-બસપાનો પ્લાન

અડવાણીએ બ્લોગમાં પોતાનાં અત્યાર સુધીનાં રાજનીતિક સફરને યાદ કરી છે કઇ રીતે તેઓ 14 વર્ષની ઉંમરમાં આરએસએસ સાથે જોડાયેલા અને કઇ રીતે પહેલા જનસંઘ અને ત્યારબાદ ભાજપના સંસ્થાપક સભ્યોમાં રહ્યા અને પાર્ટીની સાથે જ આશરે 7 દશકો સુધી જોડાયેલા રહ્યા. બ્લોગમાં અડવાણીએ પાર્ટીનાં સિદ્ધાંતો અને નીતિઓ પર જોર આપતા તમામ રાજનૈતિક દળોને આત્મ નિરીક્ષણની અપીલ પણ કરી.
VIDEO: સ્ટેડિયમમાં તખ્તી સાથે ઉભા હતા દાદી, ધોનીને માહિતી મળતા દોડતો સ્ટેડિયમમાં પહોંચ્યો

અડવાણીએ લખ્યું કે, પાર્ટીની અંદર અને રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય બંન્નેમાં જ લોકશાહી અને લોકશાહીની પરંપરાઓનાં સંરક્ષણ ભાજપનાં ગર્વીલી ઓળખ રહી છે. ભાજપ હંમેશાથી મીડિયા સહિત લોકશાહીની સંસ્થાઓની સ્વતંત્રતા, નિષ્ઠા, નિષ્પક્ષતા અને મજબુતીના સંરક્ષણની માંગમા અગ્રણી રહી છે. તેમણે લખ્યું કે, ચૂંટણી સુધારો અને ભ્રષ્ટાચાર મુક્ત રાજનીતિ તેમની પાર્ટીની એક અન્ય પ્રાથમિકતા છે. 


લોકસભા 2019: MPમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર, કમલનાથના પુત્રને મળી ટિકિટ

બ્લોગમાં આખરે અડવાણીએ લખ્યું કે સત્ય, રાષ્ટ્ર નિષ્ઠા અને લોકશાહીની તિકટીએ ભાજપનાં વિકાસનાં પથદર્શક રહી છે. તેમણે કહ્યું કે, આ મુલ્યોની સમગ્રતાથી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને સુરાજ (ગુડ ગવર્નન્સ)નો જન્મ હોય છે, જે તેમને પાર્ટીનો હંમેશાથી ધ્યેય રહ્યો છે. અંતમાં તેમણે લોકશાહીનાં સૌથી મોટા ઉત્સવ ચૂંટણી દરમિયાન તમામ રાજનીતિક દળો, મીડિયા અને લોકશાહીની સંસ્થાઓને ઇમાનદારીથી આત્મ નિરીક્ષણની પણ અપીલ કરી છે.