નવી દિલ્હી : તેલંગાણાની રાજધાનીમાં વેટરનરી ડોક્ટર સાથે ગેંગરેપ અને તેની નિર્મમ હત્યાની ઘટનાના 10 દિવસ પછી પોલીસે શુક્રવારે રંગારેડ્ડી જિલ્લામાં શાદનગર પાસે એન્કાઉન્ટરમાં ચાર આરોપીઓને મારી નાખ્યા છે. આ મામલામાં તેલંગાના હાઇકોર્ટે (Telangana High Court) નિર્દેશ આપ્યો છે એન્કાઉન્ટરના મૃતકોને શબને 9 ડિસેમ્બરના સાંજના 08:00 વાગ્યા સુધી રાજ્ય સરકાર સુરક્ષિત રાખે. આ સાથે જ હાઇકોર્ટે ચાર શબના પોસ્ટમોર્ટમની સંપૂર્ણ વીડિયોગ્રાફી કરવાનું કહ્યું છે તેમજ એન્કાઉન્ટરનો રિપોર્ટ માગ્યો છે. આ એન્કાઉન્ટરમાં મૃત્યુ પામેલા આરોપીઓની ઓળખ ટ્રક ડ્રાઇવર મોહમ્મદ આરિફ (26) અને ચિંતાકુંટા ચેન્નાકેશવુલુ (20) તેમજ ક્લિનર જોલુ શિવા (20) અને જોલુ નવીન (20) તરીકે થઈ છે. મોટાભાગના લોકોએ આ એન્કાઉન્ટરને સમર્થન આપ્યું છે જ્યારે ઘણા લોકોએ એની સામે સવાલ પણ ઉઠાવ્યા છે. આ ઘટનાની તપાસ કરવા માટે હવે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની ટીમ હવે હૈદરાબાદ પહોંચી છે. આયોગની ટીમ પહેલાં એન્કાઉન્ટરવાળી જગ્યા પર પહોંચશે અને પછી મહબૂબનગર જશે. મહેબૂબનગરમાં ચાર આરોપીઓના મૃતદેહ રાખેલા છે.


Jharkhand Election LIVE: ઝારખંડ વિધાનસભા ચૂંટણી મતદાન, પોલીસ ફાયરિંગ એકનું મોત, 6 ઘાયલ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મામલામાં કમિશનર સજ્જનારે કહ્યું કે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આરોપીઓ  પાસેથી 2 હથિયાર પણ મળી આવ્યાં. તેમણે કહ્યું કે અમે ગોળી ચલાવતા પહેલા તેમને સરન્ડર કરવાનું અનેકવાર કહ્યું પરંતુ તેઓ પોલીસ પર હુમલો કરી રહ્યા હતાં. આવા સંજોગોમાં અમારા કર્મીઓએ ગોળી ચલાવવી પડી. મૃતક આરોપીઓના મૃતદેહો જપ્ત કરીને સ્થાનિક હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યાં છે. અમારા 2 અધિકારીઓ ઘાયલ થયા છે. જેમાંથી એકની સ્થિતિ ગંભીર છે.


ઉન્નાવ બન્યું ઉત્તર પ્રદેશનું રેપ કેપિટલ, 2019માં નોંધાઈ દુષ્કર્મની 86 ઘટનાઓ 


પોલીસ એન્કાઉન્ટર પર ઉઠેલા સવાલો પર તેમણે કહ્યું કે અમે એનએચઆરસી, રાજ્ય સરકાર કે કોઈ પણ અન્ય સંગઠનના જે પણ સવાલ છે તેમના જવાબ આપવા માટે તૈયાર છીએ. આ સાથે જ પોલીસ વિભાગ તરફથી સીસીપીએ સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમ પર પીડિતાની ઓળખ ઉજાગર નહીં કરવાની પણ અપીલ કરી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube