નવી દિલ્હી:  નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019)  સામે લોકોને ભડકાવવાનું રાજકારણ ખેલાઈ રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે દેશના અનેક ભાગોમાં હિંસક પ્રદર્શન થઈ રહ્યાં છે. પરંતુ હવે નાગરિકતા સંશોધન કાયદા પર વિરોધ પ્રદર્શન અને બંધના રાજકારણમાં વિપક્ષી પાર્ટીઓ પણ ખુલીને સામે આવી છે. કાયદા વિરુદ્ધ આજે વિપક્ષી પાર્ટીઓએ રસ્તાઓ પર ઉતરવાની તૈયારી કરી છે. 5 લેફ્ટ પાર્ટીઓએ સમગ્ર દેશમાં પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામિયા હિંસા: પોલીસે શોધી કાઢ્યા 4 બદમાશ ચહેરા, આ લોકો પર છે ઉપદ્રવ ફેલાવવાનો આરોપ


શિવસેના, આરજેડી સામેલ નહીં
આ પાર્ટીઓને અનેક યુનિવર્સિટીઓનું સમર્થન પણ મળ્યું છે. આ બાજુ મુંબઈ (Mumbai) ના ઓગસ્ટ  ક્રાંતિ મેદાનમાં પણ આજે નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019)  વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થશે. જ્યારે નાગરિકતા કાયદા વિરુદ્ધ વિપક્ષમાં બે ફાડચા પડેલા જોવા મળી રહ્યાં છે. મુંબઈમાં કોંગ્રેસ-એનસીપીના પ્રદર્શનમાં શિવસેના (Shivsena) એ ભાગ લેવાની ના પાડી દીધી છે. જ્યારે બિહારમાં લેફ્ટના પ્રદર્શનથી લાલુ યાદવની પાર્ટી આરજેડીએ અંતર જાળવ્યું છે. 


દિલ્હીમાં થયેલા રમખાણો પાછળ શું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની મિલીભગત છે?


વિરોધ પ્રદર્શનમાં બોલિવૂડ હસ્તીઓ પણ સામેલ
સીએએ સામેના વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ, એનસીપી, સમાજવાદી પાર્ટી અને મહાવિકાસ આઘાડી સરકારમાં સામેલ તમામ પક્ષો સામેલ થશે. શિવસેના જો કે પ્રદર્શનમાં સામેલ નથી. શિવસેના નાગરિકતા સંશોધન કાયદાનો સદનમાં વિરોધ  કરે છે પરંતુ તે ખુલીન તેના વિરુદ્ધ જવા માંગતી નથી. CAA અને NRCનો ખાસ કરીને વિચારધારાવાળા બોલિવૂડ સ્ટાર્સ વિરોધ કરશે. જાવેદ અખ્તર, શબાના આઝમી, ફરહાન અખ્તર, અનુરાગ કશ્યપ અને અનુભવ સિન્હા જેવી હસ્તીઓ આજે વિરોધ પ્રદર્શનમાં સામેલ થશે. 


આ VIDEO પણ ખાસ જુઓ...


ચૂંટણીના કારણે દિલ્હીમાં હિંસા ફેલાવવામાં આવી, અમારી પાર્ટીને હિંસાથી નુકસાન જ થશે: કેજરીવાલ


PM મોદીનો આરોપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ વિપક્ષ પર ડર ફેલાવવાના રાજકારણનો આરોપ લગાવ્યો છે પરંતુ તેનાથી વિરોધ પ્રદર્શનના રાજકારણ પર કોઈ ફરક પડ્યો નથી. 


સુપ્રીમ કોર્ટમાં શું થયું
આ બાજુ સુપ્રીમ કોર્ટે નાગરિકતા કાયદા પર તત્કાળ રોક લગાવવાની ના પાડી છે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 22 જાન્યુઆરીએ થશે. જે 59 અરજીઓ દાખલ થઈ છે તેના પર બુધવારે સુનાવણી થઈ હતી જેમાં કોર્ટે હાલ પૂરતી તો કાયદાની જોગવાઈ પર રોક  લગાવવાની ચોખ્ખી ના પાડી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....