મુંબઇ : વિક્કી કૌશલ(Vicky Kaushal) ની ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇક Uri: The Surgical Strike (2019) માં ગૃહમંત્રી રાજનાથ સિંહનો રોલ નિભાવનારા નવતેજ હુંડલ (Navtej Hundal) નું નિધન થઇ ગયું છે. નવતેજનાં નિધનનુ કારણ જો કે હજી સુધી બહાર નથી આવ્યું. સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશને સોશિયલ મીડિયા પર આ અંગે દુખદ સમાચારની માહિતી આપી. નવતેજનાં નિધનથી ટીવી સહિત બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO: પહેલી વાર મતદાન કરવા જઇ રહેલ યુવાનને PM મોદીની 3 અપીલ

સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (સિંટા) એ ટ્વીટ કરીને જણાવ્યું કે, સિંટા નવતેજ હુંડલનાં નિધન અંગે શોક વ્યક્ત કરે છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. ફિલ્મમાં એક્ટિંક કરવા ઉપરાંત હુંડલ એક્ટિગ ક્લાસ પણ ચલાવતા હતા. એક્ટરના પરિવારમાં એક પુત્રી ને પત્ની છે. નવતેજ હુંડલની પુત્રી પણ અભિનેત્રી છે. એકતા કપૂરની સીરિયર યે હે મહોબ્બતેમાં મિહિકાનું પાત્ર નિભાવી રહી છે. અસલમાં તેનું નામ અવંતિકા હુંડલ છે. 
રાહુલની PM મોદીને ચેલેન્જ, કહ્યું- આ 3 મુદ્દા પર સંપૂણ તૈયારી સાથે કરે ચર્ચા

ઉરી ફિલ્મનું કલેક્શન 200 કરોડને પાર પહોંચ્યું હતું. આ ફિલ્મે અનેક રેકોર્ડ બનાવ્યા પણ અને અનેક રેકોર્ડ તોડ્યા પણ હતા. બીજી તરફ વિક્કી કૌશલની એક્ટિંગના પણ ખુબ જ વખાણ થયા હતા. ઉરી ફિલ્મ આ વર્ષે 11 જાન્યુઆરીએ રિલીઝ થઇ હતી. આ ફિલ્મને આદિત્ય ધરે ડાયરેક્ટર કરી હતી. આ અગાઉ વિક્કી કૌશલે મનમર્જિયા અને સંજુ ફિલ્મ કરી હતી. જો કે ઉરી ફિલ્મથી તેને અનોખી ઓળખ મળી હતી.