આશિષ અમ્બાડે, મુંબઈ: મહારાષ્ટ્રના ગઢચિરોળીમાં લેન્ડ માઈન્સ વિસ્ફોટ બાદ દાદાપુર ગામમાં નક્સલીઓએ બેનર લગાવ્યાં છે. બેનરોમાં હુમલાની જવાબદારી લેતા તેમણે તે વિસ્તારમાં સડક નિર્માણમાં લાગેલી કંપનીઓ અને ઠેકેદારોને ધમકીઓ પણ આપી છે. નક્સલીઓએ મંગળવારે રાતે કન્સ્ટ્રક્શન કંપનીનીની લગભગ 50 ગાડીઓને બાળી મૂકવાની જવાબદારી લીધી છે. તેને નક્સલી કમાન્ડર રામકો નરોટી અને અન્ય મહિલા નક્સલીઓની હત્યાનો વિરોધ ગણાવ્યો છે. આ સાથે જ અન્ય નક્સલીઓને પણ વિરોધ કરવાનું આહ્વાન બેનર દ્વારા કરાયું છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...