નવી દિલ્હી: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ચીફ અને રાજ્યસભા સાંસદ શરદ પવારે આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. ત્યારબાદ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલના એંધાણ જોવા મળી રહ્યા છે. રદ પવારે પીએમ મોદી સાથે લગભગ 50 મિનિટ સુધી ચર્ચા કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસના ગઠબંધન મહાવિકાસ આઘાડીની સરકાર છે. હાલમાં જ થયેલા કેબિનેટ વિસ્તરણ બાદથી ગઠબંધન નેતાઓની નારાજગીની ખબરો સામે આવી રહી છે. 


મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની સરકારને લગભગ બે વર્ષ થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019માં થઈ હતી જેમાં ભાજપને 104, શિવસેનાને 56, એનસીપીને 54 અને કોંગ્રેસને ફાળે 43 બેઠકો ગઈ હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube