નવી દિલ્હી: એવું કહેવાય છે કે જો તમારા હરીફમાં કોઈ સારા ગુણ હોય તો તેને પણ અપનાવવા જોઈએ. એનસીપી સુપ્રીમો શરદ પવારે પુણેમાં પાર્ટી કાર્યકરોને સંબોધન કર્યું. તેમણે કાર્યકરોને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાસેથી શીખવાની શીખામણ આપી. પવારે કહ્યું કે જનસંપર્ક કેવી રીતે કરાય તે શીખવું હોય તો આરએસએસ પાસેથી શીખો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંગાળમાં ભાજપના વધતા પ્રભુત્વને રોકવાનો મમતા બેનર્જીએ તોડ કાઢ્યો, 'આ' વ્યક્તિ કરશે મદદ


લોકસભા ચૂંટણીમાં મળેલી સજ્જડ હાર બાદ શરદ પવાર પાર્ટીના પદાધિકારીઓની સાથે સતત ચિંતન મંથનમાં લાગેલા છે. આ જ કડીમાં તેઓ પુણેના ભોસરી વિસ્તારમાં પાર્ટી અધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરવા આવ્યા હતાં. પવારે આ અવસરે આરએસએસનું ઉદાહરણ રજુ કર્યું. કઈ રીતે ચૂંટણીમાં આરએસએસ લોકોના ઘરે જઈ જઈને સંપર્ક સાંધે છે તે વાત પવારે કાર્યકરોને જણાવી. 


જુઓ LIVE TV


પંજાબ કોંગ્રેસમાં ઘમાસાણ, નવજોતસિંહ સિદ્ધુ કેબિનેટની બેઠકમાં સામેલ ન થયા


પવારે કહ્યું કે આરએસએસના કાર્યકરોની જનસંપર્કની રીત શીખવા જેવી છે. શરદ પવારે પાર્ટી કાર્યકરોને કહ્યું કે થોડા મહીના બાદ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી છે. આ માટે પાર્ટી કાર્યકરોએ પણ એ જ રીતે પૂરી શિદ્દત સાથે જનસંપર્ક સાધવો જોઈએ.


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...