નવી દિલ્હીઃ રાહુલ ગાંધી મામલામાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચ (NCPCR) એ ફેસબુક ઈન્ડિયાના પ્રમુખ સત્યા યાદવ (Satya yadav) ને સમન્સ મોકલ્યું છે. એનસીપીસીઆરે સત્યા યાદવને 17 ઓગસ્ટે હાજર થવાનું કહ્યુ છે. એનસીપીસીઆરે ફેસબુકને નોટિસ ફટકારી રાહુલ ગાંધીના ઇન્સ્ટાગ્રામ પર રેપ પીડિતાના પરિવારજનોની ઓળખ જાહેર કરનારી પોસ્ટ હટાવવાનું કહ્યુ હતુ. પરંતુ પંચ પ્રમાણે ફેસબુકે કોઈ કાર્યવાહી કરી નહીં, કે તે વિશે પંચને અત્યાર સુધી કોઈ જાણકારી આપી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીના ટ્વિટર એકાઉન્ટને લોક કરાતા પહેલાથી બબાલ મચેલી છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ પંચે ટ્વિટર પાસે કાર્યવાહીની માંગ કરી હતી. એનસીપીસીઆરની ફરિયાદ બાદ રાહુલ ગાંધીના ટ્વિટર એકાઉન્ટને અસ્થાયી રૂપથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. 


Corona: દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 38 હજારથી વધુ કેસ નોંધાયા, 478 લોકોના થયા મૃત્યુ  


તો રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે આ અમેરિકી કંપની પક્ષપાતપૂર્ણ છે, તે ભારતની રાજકીય પ્રક્રિયામાં દખલ આપી રહી છે અને સરકારના કહેવા પ્રમાણે ચાલી રહી છે. તેમણે તે પણ દાવો કર્યો હતો કે ટ્વિટર તરફથી જે કરવામાં આવ્યું તે ભારતના લોકતાંત્રિક માળખા પર હુમલો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube