નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહે મોદી સરકારની આર્થિક સ્થિતિ પર આપેલા નિવેદનનો દવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, ડો મનમોહન સિંહની સરકારમાં દેશની આર્થિક સ્થિતિ એક રીતે પોલિસી પેરાલિસિસ થઈ ગઈ હતી. યુપીએ કૌભાંડની સરકાર હતી. તેની સરકારમાં ભ્રષ્ટાચાર થતો રહ્યો અને તે ચુપચાપ બેસીને જોઈ રહ્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનમોહન સિંહ પર સીતારમણનો હુમલો
નાણામંત્રીએ કહ્યું કે, મનમોહન સિંહના સમયમાં 22 વખત મોંઘવારી દર 10 ટકાથી વધુ રહ્યો હતો. મનમોહન સિંહ ભારતને ફ્રેગાયિલ 5માં લાવવા માટે જવાબદાર રહ્યાં છે. નાણામંત્રીએ આરોપ લગાવ્યો કે, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું નિવેદન પંજાબ ચૂંટણીને લઈને હતું, તેને હકીકત સાથે કોઈ લેવાદેવા નથી. 


આ પણ વાંચોઃ મુખ્યમંત્રી પદેથી કેમ હટાવવામાં આવ્યા અમરિંદર સિંહ? રાહુલ ગાંધીએ પ્રથમવાર કર્યો ખુલાસો


મનમોહન સિંહ ચુપ કેમ રહ્યા?
નાણામંત્રીએ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં કથિત યોગીની ભાગીદારી અને તેના દ્વારા નેશનલ સ્ટોક એક્સચેન્જના સંચાલન પર પણ સવાલ ઉઠાવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ત્યારે મનમોહન સિંહ ચુપ કેમ રહ્યાં?


કોંગ્રેસ પર કર્યો હુમલો
ઓક્સફેમ ડેટા નિર્માણ કરવાનો માપદંડ ખોટો. નાણામંત્રીએ કટાક્ષ કર્યો કે, આવા દોષપૂર્ણ ડેટાને કોંગ્રેસ પોતાનો આધાર બનાવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube