સોલાપુર: કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે મહારાષ્ટ્રના સોલાપુરમાં રૂ. 8,181 કરોડના 292 કિલોમીટરના 10 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે, સોલાપુર જિલ્લા અને તેના પર્યાવરણને દેશના મુખ્ય પ્રવાહમાં લાવવાની ક્ષમતા ધરાવતા આ રોડ પ્રોજેક્ટ્સ સોલાપુરના લોકોની સુખાકારી અને વિકાસ માટે મહત્વપૂર્ણ હશે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ્સ શહેરમાં ટ્રાફિકને સુવ્યવસ્થિત કરવામાં અને અકસ્માતોની ઘટનાઓ અને પર્યાવરણીય પ્રદૂષણને ઘટાડવામાં મદદ કરશે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને શહેર સાથે જોડવાનું પણ સરળ બનશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, સિદ્ધેશ્વર મંદિર, અક્કલકોટ, પંઢરપુર જેવા મહત્વના મંદિરો ધરાવતા સોલાપુર જિલ્લા માટે રોડ નેટવર્કનું મજબૂતીકરણ ખૂબ જ મહત્ત્વનું છે. તેમણે કહ્યું કે આ પરિબળોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ આ હાઇવે પ્રોજેક્ટ્સ શહેર અને જિલ્લામાં આધ્યાત્મિક સ્થળો સુધી પહોંચવાની સુવિધા આપશે અને કૃષિ માલના પરિવહનને સરળ બનાવવામાં પણ મદદ કરશે.

Action against Fake News: ફેક ન્યૂઝ ફેલાવનારા વિરૂદ્ધ મોટી કાર્યવાહી, કેન્દ્રએ 16 Youtube ચેનલોને કરી બેન


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube