નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દાવો કર્યો છે કે ભાજપ લોકસભા ચૂંટણી 2019માં 2014ની ચૂંટણી કરતા પણ વધુ બેઠકો જીતશે. આ સાથે જ તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડરથી આખો વિપક્ષ એકજૂથ થઈ ગયો છે. કેન્દ્રીય મંત્રીએ ઝી ન્યૂઝ સાથે વાતચીતમાં આ વાત કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનિયા ગાંધીને હરાવવા માટે ભાજપે કેમ દિનેશ પ્રતાપ ઉપર જ ખેલ્યો દાવ? ખાસ જાણો 


ગડકરીએ કહ્યું કે હું મારી વાત કરું છું અને તેના આધારે જ ઊભો છું. જનતા જુએ છે કે તેમની સરકારે શું કર્યું છે. તે આધાર ઉપર જ જનતા મત આપે છે. હકીકતમાં નાગપુર સીટથી કોંગ્રેસે ગડકરી વિરુદ્ધ નાના પટોલેને મેદાનમાં ઉતાર્યા છે. પટોલે માટે તેમણે કહ્યું કે તેઓ કોંગ્રેસથી ભાજપમાં આવ્યાં અને પાછા કોંગ્રેસમાં જતા રહ્યાં. તેઓ કાળી પીળી ટેક્સી જેવા છે. ચૂંટણીમાં કોઈ ચઢે છે, કોઈ ઉતરે છે.... આમ ચાલતું રહે છે. 


લોકસભા ચૂંટણી 2019: જો ભાજપ ફરી સત્તા પર આવશે તો બીજા કાર્યકાળમાં થશે 'આ' મોટું કામ 


શિવસેના અને ભાજપના સંબંધોને લઈને તેમણે કહ્યું કે બધુ બરાબર છે. અમે મળીને કામ કરીએ છીએ. અમને રાજ્યમાં છેલ્લે જેટલી સીટો મળી હતી તેના કરતા આ વખતે વધુ સીટો મળશે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...