નવી દિલ્હીઃ Parliament Monsoon Session Live Updates: મોદી સરકાર દ્વારા વિપક્ષ તરફથી લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાબ આપી રહ્યાં છે. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો આજે ત્રીજો દિવસ છે. આ દરમિયાન રાહુલ ગાંધી, અમિત શાહ, ગૌરવ ગોગોઈ, અધીર રંજન ચૌધરી સહિત સત્તાપક્ષ અને વિપક્ષના નેતાઓએ પોતાની વાત રાખી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીના ભાષણ બાદ ગૃહમાં વિપક્ષનો અવિશ્વાસનો પ્રસ્તાવ ધ્વની મતની મદદથી ફગાવી દેવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભામાં પીએમ મોદીનું સંબોધન


પૂર્વોત્તર અમારા માટે જિગરનો ટુકડો છેઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યુ કે કોંગ્રેસનું શાસન પૂર્વોત્તરની દરેક સમસ્યાનું મૂળ છે. પૂર્વ પીએમ નેહરૂએ નક્કી કર્યું કે પૂર્વોત્તર રાજ્યમાં કોઈ વિકાસ ન થાય. પૂર્વોત્તર અમારા માટે જિગરનો ટૂકડો છે. 

મણિપુર પર પીએમ મોદીનું નિવેદન
મણિપુર પર પીએમ મોદીએ કહ્યુ કે અમિત શાહે ગઈકાલે ગૃહમાં મણિપુર પર વિસ્તારથી વાત કરી. મણિપુર પર ચર્ચાથી વિપક્ષ ભાગી રહ્યો છે. અમે ચર્ચાની વાત કહી. જલદી મણિપુરમાં શાંતિનો સૂરજ ઉગશે. દેશ મણિપુરની માતા-બહેનો સાથે છે. 


વિપક્ષના વોકઆઉટ પર પીએમનો પ્રહાર
વિપક્ષી સાંસદોના વોકઆઉટ કરવા પર પીએમ મોદીએ કહ્યુ કે આ લોકોનું આ કામ છે. અપશબ્દ બોલો અને ભાગી જાવ. અસ્તય બોલો અને ભાગી જાવ. વિપક્ષમાં સાંભળવાનું ધૈર્ય નથી. 


પીએમ મોદીના સંબોધનની મુખ્ય વાતો


1. વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ અમારા માટે શુભ છે. વિપક્ષ પર રાજનીતિ હાવી થઈ રહી છે. જનતાએ વિપક્ષ પર પુરી તાકાતથી અવિશ્વાસ વ્યક્ત કર્યો છે.


2. વિપક્ષ માટે રાજનીતિ પ્રથમ છે. આ જ કારણ છે કે ભાજપ અને એનડીએને પહેલા કરતા વધુ સીટો મળી છે. વિપક્ષ સત્તા માટે ભૂખ્યો છે.


3. વિપક્ષને દેશના યુવાનોની પરવા નથી. વિપક્ષ માત્ર સત્તાનો લાલચુ છે. વિપક્ષને પ્રજાના કલ્યાણમાં કોઈ રસ નથી.


4. એક કટ્ટર ભ્રષ્ટ મિત્રની સલાહ પર વિપક્ષ ગૃહમાં આવ્યો. 5 વર્ષમાં પણ વિપક્ષ તૈયાર નથી આવ્યો. વિપક્ષ દ્વારા ફિલ્ડીંગ ભરવામાં આવી હતી અને શાસક પક્ષ દ્વારા ચોગ્ગા અને છગ્ગા ફટકારવામાં આવ્યા હતા.


5. વિરોધ પક્ષના મિત્રોને છાપવાની ઈચ્છા હોય છે. જેમના ચોપડા અને હિસાબ બગડ્યા છે તેઓ અમારી પાસે હિસાબ માંગી રહ્યા છે. વિપક્ષે દેશને માત્ર નિરાશા જ આપી છે.


6. આ વખતે અધીર બાબુને બોલવાની તક આપવામાં આવી ન હતી. અધીર રંજન ગોળનું ગોબર બનાવવામાં નિષ્ણાત છે. કોંગ્રેસ વારંવાર અધીર બાબુનું અપમાન કરે છે. અધીર બાબુ પ્રત્યે મારી સંવેદના. કોંગ્રેસ અધીર બાબુને વારંવાર બાજુ પર રાખે છે.


7. આ સમયગાળો ભારતના દરેક સપનાને પૂરો કરવાનો છે. ભારત માટે આ મહત્વપૂર્ણ સમય છે. નવી ઉર્જા, નવા ઉત્સાહ અને નવા સંકલ્પનો સમયગાળો છે. આ સમયગાળાની અસર આવનારા હજાર વર્ષ સુધી રહેશે.


8. સખત મહેનતથી દેશ નવી ઉંચાઈઓ પર પહોંચશે. આપણે આપણા યુવાનો પર વિશ્વાસ રાખવો જોઈએ. ભારતના યુવાનોને તેમના સપના સાકાર કરવાની તક પૂરી પાડવા માટે દરેક પ્રયાસ કરવામાં આવ્યા છે. યુવાનોને કૌભાંડમુક્ત સરકાર આપી છે.


9. 2014 માં 30 વર્ષ પછી પૂર્ણ બહુમતી સાથે સરકાર રચાઈ. ત્યારબાદ 2019માં પણ સેવા કરવાનો મોકો મળ્યો. ત્યારબાદ ફરી એકવાર દેશને નવી ઊંચાઈએ લઈ ગયો.


10. કેટલાક લોકો વિદેશમાં દેશ વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે. વિદેશમાં દેશની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. વિપક્ષ ભારતની સારી વાતો સાંભળવા તૈયાર નથી.


'આ INDIA નહીં ઘમંડી ગઠબંધન, દરેક વરરાજા બનવા ઈચ્છે છે...'
આ ઈન્ડિયા ગઠબંધન નહીં, ઘમંડી ગઠબંધન. તેની જાનમાં દરેક વરરાજા બનવા ઈચ્છે છે. દરેક પ્રધાનંમત્રી બનવા ઈચ્છે છે. આ ગઠબંધને તે પણ ન વિચાર્યું કે ક્યા રાજ્યમાં તમારૂ કોની સાથે કેવું કનેક્શન છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube