નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદમાં વધેલા તણાવ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને ભારતે એક પ્રકારે ફગાવી દીધુ છે. ઉચ્ચસ્તરીય સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ભારત ચીન સરહદ વિવાદ મુદ્દે કોઈ વાતચીત થઈ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોનું કહેવું છે કે ભારતનું સ્પષ્ટ વલણ છે કે ભારત ચીન સાથે સરહદ સંબંધિત વિવાદ મુદ્દે ડાઈરેક્ટ સંપર્કમાં છે. બંને દેશો વચ્ચે આ માટે એક સુનિશ્ચિત મિકેનિઝમ છે જેના દ્વારા મુદ્દાનો ઉકેલ લાવવામાં આવે છે. સૂત્રોએ એમ પણ કહ્યું કે ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે છેલ્લે વાત હાઈડ્રોક્સીક્લોરોક્વીન બાબતે 4 એપ્રિલના રોજ થઈ હતી. અત્રે જણાવવાનું કે ગુરુવારે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે ભારત અને ચીન સરહદ વિવાદ મુદ્દે ડાઈરેક્ટ ટચમાં છે. 


લદાખ તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube