મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra) માં ઉદ્ધવ સરકાર (Uddhav Thackeray) ના મંત્રીમંડળના વિસ્તરણ બાદ બગાવતના સૂર જોવા મળી રહ્યાં છે. હવે જાલનાથી કોંગ્રેસના ધારાસભ્ય કૈલાશ ગોરંટ્યાલે ( Kailash Gorantyal) રાજીનામું આપી દેવાની ધમકી આપી છે. કેબિનેટમાં જગ્યા ન મળવાના કારણે નારાજ ગોરંટ્યાલે કહ્યું કે મેં અને મારા સમર્થકોએ નક્કી કર્યું છે કે અમે પ્રદેશ અધ્યક્ષને અમારા રાજીનામા મોકલી આપીશું. હું ત્રીજીવાર વિધાયક તરીકે ચૂંટાઈ આવ્યો છું અને મેં મારા લોકો માટે કામ કર્યું છે. આમ છતાં મને મંત્રીપદ આપવામાં આવ્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદ્ધવ સરકારમાં વિભાગોની ફાળવણી, અજીત પવારને નાણા, અનિલ દેશમુખને મળ્યું ગૃહ મંત્રાલય


અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ બાદ મહાવિકાસ આઘાડીના ત્રણેય પક્ષોના ધારાસભ્યોમાં ક્યાંકને ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે. અગાઉ પુણેથી પણ નારાજગીના સૂર જોવા મળ્યા હતાં. એક જાન્યુઆરીએ પુણેના વિધાયક સંગ્રામ થોપટેના સમર્થકોએ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી હતી  કારણ કે તેમને મંત્રીપદ આપવામાં આવ્યું નહતું. 


નનકાના સાહિબ પર હુમલો: ભારતમાં શીખ સમુદાય કાળઝાળ, સિરસાએ કહ્યું-'નામ કોઈ બદલી શકે નહીં'


અન્ય ધારાસભ્યો કે જેઓ જાહેરમાં નથી બોલ્યાં પરંતુ તેમણે પાર્ટી સમક્ષ પોતાની ફરિયાદો નોંધાવી હતી. કેટલાકનું કહેવું હતું કે તેઓ સ્થિતિ અંગે માહિતગાર કરવા માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળશે. જો કે તેમના હસ્તક્ષેપ બાદ સ્થિતિ એવી ઊભી થઈ કે પ્રણતિ શીંદે કોઈ પણ પ્રકારના મતભેદ હોવાની ના પાડી અને સંગ્રામ થોપટેએ કહ્યું કે તેઓ પાર્ટી સાથે જ છે. 


આ VIDEO પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....