નવી દિલ્હીઃ અભિનેત્રીમાંથી તૃણમુલ કોંગ્રેસની સાંસદ બનેલી નુસરત જહાં આજકાલ પોતાના પતિ નિખિલ જૈન સાથે માતા દુર્ગાની ઉપાસનામાં લીન છે. જોકે, દેવબંદના ઉલેમાઓને નુસરતની આ દુર્ગા પૂજા પસંદ આવી નથી. જેના કારણે હવે તેમણે નુસરત સામે જાત-જાતના નિવેદનો આપવાનું શરૂ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, રવિવાર અને સોમવારે દુર્ગાષ્ટમી અને નોમના નિમિત્તે નુસરતે પોતાના પતિ સાથે મળીને દુર્ગા માતાની આરતી ઉતારી હતી અને આનંદ-ઉલ્લાસ સાથે ઢોલ વગાડ્યો હતો. હકીકતમાં ઢોલ વગાડવો અને નાચવું પણ દુર્ગા પૂજાનો જ એક ભાગ છે. હવે દેવબંદના ઉલેમા મુફ્તી અસદ કાસમીએ આ નૃત્યને ઈસ્લામ અનુસાર હરામ જાહેર કર્યું છે. 


ભાજપનો તોડ શોધવા માટે કોંગ્રેસ તેના નેતાઓને આપશે 'રાષ્ટ્રવાદ'ની તાલીમ!


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....