કુલગામઃ જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ કુલગામના ખુર્બતપુરા વિસ્તારમાં થયેલી અથડામણમાં એક પાકિસ્તાની સહીત બે આતંકીઓને ઠાર કર્યા છે. આ દરમિયાન બે પોલીસકર્મીઓને પણ ઈજા થઈ છે. અથડામણ હજુ ચાલી રહી છે. કાશ્મીર પોલીસના આઈજીપી વિજય કુમારે તેની જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસના એક અધિકારીએ કહ્યુ કે, આતંકવાદીઓની હાજરીની સૂચના બાદ સુરક્ષાદળોએ ખુર્બતપુરા વિસ્તારમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. તેમણે કહ્યું કે, આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબારી કરી, ત્યારબાદ જવાબી કાર્યવાહીને કારણે અભિયાન અથડામણમાં પરિવર્તિત બની ગયું હતું. 


દેવધર રોપવે પર રેસ્ક્યૂ દરમિયાન મોટી દુર્ઘટના, દોરડું છૂટતા નીચે પડ્યો વ્યક્તિ


પોલીસના રેકોર્ડ અનુસાર માર્યા ગયેલા બંને આતંકીઓને એ શ્રેણીમાં રાખવામાં આવ્યા હતા અને બંને પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા. મોહમ્મદ ભાઈ 2019થી સક્રિય હતો. તો અબૂ અસરલાન વર્ષ 2021ના મધ્યથી કાશ્મીરમાં સક્રિય હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube