તિરૂવનંથપુરમઃ કેરલના સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે રવિવારે કહ્યું કે 22 વર્ષીય યુવકના મોતના કારણોની તપાસ કરશે, જે હાલમાં સંયુક્ત અરબ અમીરાતથી પરત ફર્યો હતો અને એક દિવસ પહેલા કથિત રૂપથી મંકીપોક્સને કારણે તેનું મોત થયું હતું. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે તેના નમૂનાનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. તેમણે કહ્યું કે દર્દી યુવા હતો અને તેને કોઈ અન્ય બીમારી કે સ્વાસ્થ્ય સંબંધી અન્ય કોઈ મુશ્કેલી નહોતી. જેથી સ્વાસ્થ્ય વિભાગ તેના મોતના કારણોની તપાસ કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોર્જે કહ્યું કે તે વાતની તપાસ કરવામાં આવશે કે 21 જુલાઈએ આવ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં વિલંબ કેમ થયો. મંત્રીએ મીડિયાને કહ્યું, 'મંકીપોક્સનો આ ખાસ પ્રકાર કોવિડ-19 જેવા ઉચ્ચ સ્તરનો સંક્રામક નથી પરંતુ તે ફેલાય છે. તુલનાત્મક રૂપથી મંકીપોક્સના આ પ્રકારથી મૃત્યુ થવાનો દર ઓછો છે. તેથી અમે તપાસ કરીશું કે આ વિશેષ મામલામાં 22 વર્ષીય વ્યક્તિનું મોત કેમ થયું કારણ કે તેને કોઈ અન્ય બીમારી નહોતી.'


ઈડીએ સંજય રાઉતના ઘરેથી જપ્ત કર્યા 11.50 લાખ રૂપિયા, જાણો તમામ વિગત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube