વિશાખાપટ્ટનમ: જમ્મુ અને કાશ્મીરને લઈને પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારની વાતચીત પર ભારતે ફરી એકવાર જડબાતોડ જવાબ આપ્યો છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આજે કહ્યું કે પાકિસ્તાન સાથે હવે જમ્મુ અને કાશ્મીરને લઈને કોઈ વાત નહીં થાય. પાકિસ્તાન સાથે જો વાત થશે તો ફક્ત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ને લઈને વાત થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કલમ 370: SCએ યેચુરીને કાશ્મીર જવાની મંજૂરી તો આપી પરંતુ મૂકી 'આ' શરત


આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ સ્થિત નેવલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી લેબોરેટરી (NSTL)ના ગોલ્ડન જ્યુબિલી સમારોહને સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિ નાયડુએ કહ્યું કે અમે કોઈની સાથે યુદ્ધ કરતા નથી, પરંતુ જે અમારા પર હુમલો કરશે તેને અમે જડબાતોડ જવાબ  આપીશું. અમે યુદ્ધોન્માદી નથી. અમે કોઈના મામલામાં હસ્તક્ષેપ કરતા નથી. આથી કોઈ અમારામાં દખલ કરે તે ઈચ્છતા નથી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...